Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ફરી એકવાર નેગેટિવ રોલમાં દેખાશે સૌનક વ્યાસ, 'પ્રેમની ભવાઈ'માં છે આ રોલ

કલર્સ ગુજરાતી પર કેટલીક નવી સિરીયલ્સ શરૂ થઈ છે. 'પ્રેમની ભવાઈ’ સિરીયલ આ સપ્તાહથી શરૂ થઈ છે. આ સિરીયલથી જાણીતા એક્ટર સૌનક વ્યાસ 2 વર્ષ બાદ નાનકડા પડદે કમબેક કરી રહ્યા છે. સૌનક વ્યાસની કરિયરની શરૂઆત ટેલિવિઝનથી જ થઈ હતી, અને ફરી એકવાર તેઓ સિરીયલમાં કામ કરી રહ્યા છે, ત્યારે ખૂબ જ ખુશ છે.

આ રોલમાં દેખાશે સૌનક વ્યાસ

આ રોલમાં દેખાશે સૌનક વ્યાસ

‘પ્રેમની ભવાઈ'માં સૌનક વ્યાસ ફરી એકવાર નેગેટિવ રોલમાં દેખાશે. સિરીયલમાં તેઓ યુવરાજ રાયઝાદાનું પાત્ર ભજવી રહ્યા છે. જે રાજપર ગામના ધારાસભ્યના પુત્ર છે. અને નશો કરવો, લોકોને નીચા દેખાડવા એ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પોતાના પાત્ર વિશે સૌનક વ્યાસનું કહેવું છે,'સિરીયલનો હીરો રૂદ્ર યુવરાજની માતા ઈન્દ્રાણીનો રાઈટ હેન્ડ છે, જે યુવરાજને પસંદ નથી. એટલે એ રૂદ્રને હેરાન કરે છે. રોલ વિશે વધુ કહું તો આ પાત્ર ખૂબ ચેલેન્જિંગ એટલા માટે છે કે યુવરાજ હંમેશા નશામાં રહે છે. અને મને નશો તો દૂર કોઈ જ પ્રકારનું વ્યસન નથી. મારે સતત એક નશામાં રહેતા વ્યક્તિનો રોલ કરવાનો છે. એટલે ચેલેન્જિંગ રોલ છે.'

2 વર્ષ બાદ ફરી કલર્સ સાથે

2 વર્ષ બાદ ફરી કલર્સ સાથે

ઉલ્લેખનીય છે કે કલર્સ ગુજરાતી પર સૌનક વ્યાસ આ પહેલા ‘ફૂડથી ગુજરાત', ‘ધર્મથી ગુજરાત' બે શો કરી ચૂક્યા છે. આ બંને શો ટ્રાવેલોગ હતા. ફૂડથી ગુજરાતમાં તેઓ જુદા જુદા સ્થળે ફરી ફૂડ રિવ્યુ કરતા હતા અને ધર્મથી ગુજરાતમાં ધર્મસ્થાનોની વાત લોકો સુધી પહોંચાડતા હતા. સૌનક વ્યાસે પોતાની એક્ટિંગ કરિયર ટેલિવિઝનથી જ શરૂ કરી છે.

આ સિરીયલ્સમાં કર્યા લોકપ્રિય રોલ

આ સિરીયલ્સમાં કર્યા લોકપ્રિય રોલ

2008-09માં ઝી ગુજરાતીમાં ‘સૂર સંદેશ'થી તેમની કરિયર શરૂ થઈ હતી. જે બાદ ઝી પર જ સંદીપ પટેલ-આરતી પટેલની સિરીયલ ‘સગપણ એક ઉખાણું'માં વિનાયકના લીડ રોલમાં દેખાયા હતા. આ સિરીયલ ઝવેરચંદ મેઘાણીની વેવિશાળ પરથી કાજલ ઓઝ વૈદ્યે આ સિરીયલ લખી હતી. જે બાદ સૌનક વ્યાસ ગૃહમંત્રી અને ઈટીવીના શો ગીત ગુંજનમાં પણ એન્કરિંગ કરી ચૂક્યા છે. તો ઝી ગુજરાતી પર જ ડૉક્ટની ડાયરી, કભી કભી સહિત 5 જેટલી સિરીઝમાં કામ કરી ચૂક્યા છે. દર્શકોને કદાચ યાદ હશે ખૂબ જ લોકપ્રિય થયેલી ઈટીવીની ‘મોટી બા' સિરીયલમાં પણ સૌનક નેગેટિવ પાત્રમાં દેખાયા હતા.

કેમ છોડ્યું ટેલિવિઝન?

કેમ છોડ્યું ટેલિવિઝન?

આ સવાલના જવાબમાં સૌનક વ્યાસ કહે છે,'ટેલિવિઝન છોડ્યું નથી. હું પોતે એવું મને પોતાને સ્ક્રીન પર રહેવું ગમે છે, એ ફિલ્મ હોય કે ટીવી હોય. હું એવું ટીવી લોકો સુધી ઝડપથી પહોંચાડે છે. પણ છેલ્લા ઘણા સમયથી હું ફિલ્મો અને થિયેટરમાં વ્યસ્ત હતો. એક્ટિંગ ટીચર તરીકે પણ કામ કર્યું, ત્યારે એકસાથે સિરીયલ પણ મેનેજ કરવી અઘરી હતી. એટલે ટેલિવિઝન થોડું દૂર રહ્યું. પણ હવે લાંબા સમયે ફરી સિરીયલ કરવાની મજા આવે છે. ખાસ તો ડેડલાઈનમાં કામ કરવાથી એક્ટિંગની ચેલેન્જ ખૂબ જ હોય છે. જેની પણ અલગ મજા છે.'

સુપર બિઝી છે સૌનક વ્યાસ

સુપર બિઝી છે સૌનક વ્યાસ

સૌનક વ્યાસ હાલ ‘પ્રેમની ભવાઈ' ઉપરાંત સંખ્યાબંધ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. થિયેટરની વાત કરીએ તો તેમના 5 નાટકો પર કામ ચાલી રહ્યું છે. જેમાં ‘સેલ્ફી સંબંધોની', ‘સરદાર પટેલ', ‘વલ્લભાચાર્ય', ‘શંકરાચાર્ય' ઓન ફ્લોર છે. તો રાઈટર તરીકે સૌનક વ્યાસ ત્રણ સ્ટોરી પર કામ કરી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ કંઈક નવી જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સૌનક વ્યાસ ‘દુનિયાદારી' અને ‘ઓક્સિજન' જેવી ફિલ્મો પણ કરી ચૂક્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X