વિનફ્રેનો મંગેતર વીસ વર્ષે જાગ્યો, પરણવાની ઇચ્છા વ્યક્ત કરી!
લૉસ એંજલ્સ, 1 જાન્યુઆરી : ચૅટ શો માટે જાણીતા અને લોકપ્રિય ઓપરા વિનફ્રેના મંગેતર સ્ટેડમૅન ગ્રાહમ વીસ વર્ષે જાગ્યાં છે. તેમણે હવે વિનફ્રે સાથે આજીવન પરિણીત જીવન જીવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સ્ટેડમૅન ગ્રાહમનું આ પગલુ 15મી ડિસેમ્બરના રોજ નેલ્સન મંડેલાના અંતિમ સંસ્કાર માટે કરેલા દક્ષિણ આફ્રીકાના લાગણીશીલ પ્રવાસથી પ્રભાવિત છે. એક સૂત્રે નેશનલ ઇન્ક્વાઇરર મૅગેઝીનને જણાવ્યું - નેલ્સન મંડેલા અને તેમના તમામ કાર્યો સાથે અત્યધિક પ્રેમ કરનાર ઓપરા વિનફ્રે માટે આ ખૂબ જ લાગણીશીલ પ્રવાસ હતો. દુઃખની આ ઘડી દરમિયાન દુનિયામાં માત્ર એક જ શખ્સ હતો કે જેની તરફ વિન્ફ્રે વળ્યાં અને તે શખ્સ હતાં તેમના મંગેતર સ્ટેડમૅન.












Click it and Unblock the Notifications
