અમિતજી સાથે મુકાબલો ? સ્વપ્નેય ન વિચારૂં : આમિર ખાન
મુંબઈ, 11 જાન્યુઆરી : બૉલીવુડના મિસ્ટર પરફેક્ટ પોતાના સ્વતંત્ર વિચારો માટે જાણીતાં છે. જે રીતે તેમનું કામ સૌથી જુદું છે, તેવી જ રીતે તેમની વિચારસરણી પણ સૌથી અલગ પડે છે. તેથી જ તેઓ કદાચ સૌને પ્રિય છે. સીબીસી પ્રાઇમના ઇન્ડિયા પ્રાઇમ આઇકૉન ટાઇટલની સ્પર્ધામાં તેમનો મુકાબલો અમિતાભ બચ્ચન સાથે હતો. જોકે તેમને આ ઍવૉર્ડ મળ્યું નહીં, પરંતુ તેઓનો નૉમિનેશનમાં સમાવેશ થતો હતો.
આ અંગે આમિર ખાને જણાવ્યું - મને ખુશી છે કે મને યોગ્ય સમજવામાં આવ્યું, પરંતુ હું તો અમિતાભ સાહેબની બરોબરી કરી જ ન શકું. મુકાબલો તો દૂર, આ અંગે સ્વપ્નેય ન વિચારી શકૂં. હું તેમની ફિલ્મો જોઈ મોટો થયો છું. એવાંમાં કઈ રીતે તેમની સાથે કૉમ્પીટિશન કરી શકું.
નોંધનીય છે કે જે રીતે બિગ બીએ ટેલીવિઝન પર એક અલગ પ્રકારના ગેમ શોને હોસ્ટ કરી નવી ક્રાંતિ કરી હતી. તેવી જ રીતે આમિર ખાને પણ સત્યમેવ જયતે વડે કર્યું છે. તેથી તેમની અને અમિતાભ વચ્ચે મુકાબલાની વાતો લોકોએ શરૂ કરી હતી. આ બાબતને હવા એટલા માટે પણ મળી, કારણ કે બંનેના જ શો સ્ટાર પ્લસથી શરૂ થયા હતાં. કેબીસી શો પણ સિરીઝ ઉપર સિરીઝ બનાવી રહ્યો છે, તો સત્યમેવ જયતે પાર્ટ 2ની તૈયારી થઈ રહી છે.