કપિલ શર્મા શૉથી બહાર કરવા પર જાણો શુ બોલ્યા સિદ્ધુ?
પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પુલવામાંમાં થયેલા આતંકી હુમલા અંગે પોતાના નિવેદનને કારણે ઘેરાયેલા છે.
પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પુલવામાંમાં થયેલા આતંકી હુમલા અંગે પોતાના નિવેદનને કારણે ઘેરાયેલા છે. આ દરમિયાન ટ્વિટર પર #boycottsiddhu હેઝ ટેગ લગાવીને તેનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો છે. લોકો તેમાં કહેવા લાગ્યા કે સિદ્ધુને કપિલ શર્મા શૉથી બહાર કાઢવામાં આવે, નહીં તો તેઓ શૉને બાયકોટ કરશે. તેવામાં ખબર આવી કે સોનીએ સાચે જ સિદ્ધુને શૉથી બહાર કરી દીધા છે. પરંતુ આ બાબતે જયારે સિદ્ધુને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે ચેનલ ઘ્વારા તેમને આ બાબતે કોઈ વાત નથી કરવામાં આવી.
આ પણ વાંચો: પુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા

અર્ચના પૂરણ સિંહએ સિદ્ધુની જગ્યા લીધી?
ખબર આવી છે કે ટ્વિટર પર #boycottsiddhu હેઝ ટેગ ચાલ્યા પછી ચેનલે સિદ્ધુને શૉથી બહાર કરી દીધા. એટલું જ નહીં પરંતુ તેની જગ્યા અર્ચના પૂરણ સિંહને આપવામાં આવી. પરંતુ સિદ્ધુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ચેનલના આ નિર્ણય વિશે કોઈ જ જાણકારી નથી અને ચેનલ ઘ્વારા તેમની સાથે આ બાબતે કોઈ વાતચીત પણ નથી કરવામાં આવી.

પુલવામાં હુમલામાં સિદ્ધુએ આવું નિવેદન આપ્યું હતું
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા અંગે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. વળી, ઘણી મોટી હસ્તીઓ પણ આ મામલે નિવેદન આપી રહી છે. આ કડીમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ હતુ કે ‘શું અમુક લોકોની કરતૂત માટે સમગ્ર દેશને જવાબદાર ગણી શકાય છે. આતંકવાદીઓનો કોઈ દેશ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો અને કોઈ જાત નથી હોતી.' સિદ્ધુના આ નિવેદન પછી લોકો ભડકી ઉઠ્યા અને આ હુમલામાં પાકિસ્તાનની નિંદા નહીં કરવા બદલ તેઓ સિદ્ધુની દેશભક્તિ પર સવાલ કરવા લાગ્યા.

ભાજપા નેતાએ સિદ્ધુને પાયલ મોકલી
સિદ્ધુના નિવેદન અંગે ભાજપ તરફથી પણ સતત હુમલા થઈ રહ્યા છે. અહીં સુધી કે ભાજપ નેતા તજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ, 'સિદ્ધુજી તમારા માટે પાયલ મોકલી છે ભેટમાં, પહેરીને પોતાના યાર દિલદાર ઈમરાન ખાનની ધૂન પર નાચો.' બગ્ગાએ સિદ્ધુના ચંદીગઢના સરનામે પાયલ મોકલી છે. એવામાં સિદ્ધુએ વળતો જવાબ આપીને ભાજપ પર હુમલો કર્યો છે. સિદ્ધુએ ભાજપ પર નિશાન સાધીને 20 વર્ષ પહેલાની મસૂદ અઝહરની મુક્તિની યાદ અપાવી. તેમણે કહ્યુ કે, ‘જે લોકો મને દેશદ્રોહી ગણાવી રહ્યા છે એ લોકો બતાવે કે મસૂદ અઝહરને પાકિસ્તાનને કોણે સોંપ્યો હતો? આટલા વર્ષોથી ભાજપ મસૂદને પાછો પકડવા માટે શું કરી રહી છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
