તારક મહેતા શોમાં દયાભાભીની ટૂંક સમયમાં થશે એન્ટ્રી? પ્રોમોમાંથી મળ્યા આ સંકેતો
સોની સબ ટીવી પર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ચાહકોનો પ્રિય રહ્યો છે, પરંતુ જ્યારથી દિશા વાકાણી ઉર્ફે દયાબેને શો છોડી દીધો છે, ત્યારથી દરેક ચાહક એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે...
મુંબઈ, 9 મે : સોની સબ ટીવી પર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ચાહકોનો પ્રિય રહ્યો છે, પરંતુ જ્યારથી દિશા વાકાણી ઉર્ફે દયાબેને શો છોડી દીધો છે, ત્યારથી દરેક ચાહક એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, દયાબેન શોમાં ક્યારે પરત આવશે? હવે તેના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. હા, હવે શોમાં સૌની પ્રિય દયાબેન ટૂંક સમયમાં પરત ફરવાના સંકેત મળી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પ્રોમો
તાજેતરમાં, શોના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પ્રોમો રજૂ કર્યો છે. જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, દયાબેન ટૂંકસમયમાં શોમાં પરત ફરી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સુંદર દયાબેનને લેવા મુંબઈ પહોંચે છે, પરંતુ પહોંચવામાં મોડું થાય છે અનેતે જેઠાલાલને ફોન કરીને કહે છે કે, તેની ટ્રેન ચૂકી ગઈ છે. જેના પર જેઠાલાલ કહે છે કે, હું તમારી ફ્લાઈટની ટિકિટ બુક કરાવીશ, તમેલોકો ફ્લાઈટમાં આવો. હવે આ પ્રોમો વીડિયો જોયા પછી, ચાહકો દયા બેનની વાપસીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
આ અગાઉ રિલીઝ થયેલો પ્રોમો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મેકર્સે એક પ્રોમો વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં પ્રોમોની શરૂઆત સાડી પહેરેલી મહિલાની એન્ટ્રીથી થાયછે. જે ગોકુલધામ સોસાયટીમાં પ્રવેશી રહી છે. આ પ્રોમો જોયા બાદ, એવી તમામ પ્રકારની અફવાઓ હતી કે, દિશા વાકાણી ઉર્ફે દયાબેન ટૂંકસમયમાં શોમાં પરત ફરવા જઈ રહી છે. જોકે, બાદમાં અપડેટ કરવામાં આવ્યું હતું કે, તે શોમાં પરત ફરી રહી નથી.

શું ખરેખર દયાબેન પાછા આવશે?
હાલમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતાઓએ શોમાં દયાબેનની વાપસી અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ આ પ્રોમો વીડિયોજોયા પછી ચાહકોની ખુશીનો પાર નથી રહ્યો. આવા સમયે, કેટલાક ચાહકો કહી રહ્યા છે કે, આ શોની ટીઆરપી વધારવા માટે કરવામાંઆવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, દયાબેન આ વખતે શોમાં પરત ફરશે કે નહીં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
