અમદાવાદનો શાહીબાગ રેલ્વે અંડર પાસ 5 દિવસ માટે બંધ રહેશે, જાણો કેમ?
અમદાવાદનો ધમધમતો શાહીબાગ રેલવે અંડરપાસ આગામી પાંચ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ નિર્ણય શહેરમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ગતિ આપવા લેવાયો છે.

ટ્રાફિક વિભાગના જાહેરનામા મુજબ, અંડરબ્રિજ પરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેક માટે સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની ગંભીર કામગીરી હાથ ધરાશે.
સુરક્ષા માટે અને કામગીરીમાં અડચણ નિવારવા અંડરપાસના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંધ 23 જાન્યુઆરી રાત્રે 8:00 વાગ્યાથી 28 જાન્યુઆરી રાત્રે 12:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
ટ્રાફિક જામ નિવારવા નાગરિકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર થયા છે. દિલ્હી દરવાજાથી એરપોર્ટ માટે શિલાલેખથી રિવરફ્રન્ટ થઈને જઈ શકાશે. અસારવા, ગીરધરનગર, કાલુપુર તરફનો પ્રવાસ શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજ દ્વારા કરવો.
વધારામાં, અસારવાથી ગાંધીનગર જવા આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાંથી, અને ગાંધીનગરથી શહેર તરફ રિવરફ્રન્ટનો ઉપયોગ સૂચવાયો છે. આ પાંચ દિવસ દરમિયાન શાહીબાગમાં ટ્રાફિકનું ભારણ વધશે. વાહનચાલકોને અગાઉથી આયોજન કરી, રિવરફ્રન્ટનો વધુ ઉપયોગ કરવા વિનંતી છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
