કોરોના વાયરસ મૃતકોના પરિવારોને 4 લાખ વળતર માટે આજે કોંગ્રેસની પદયાત્રા
કોરોના મૃતક પરિવારોને 4 લાખ વળતર માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય પદયાત્રા યોજવામાં આવશે.
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે જન ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનુ વળતર મળે તે માટે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય પદયાત્રા યોજવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના આઠ શહેરો અને 33 જિલ્લા મથકોએ મૃતકોના વારસોને સાથે રાખીને ન્યાય પદયાત્રા યોજાશે. અમદાવાદ શહેરમાં સવારે 10.30 વાગે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા રાજ્યના આઠ મહાનગરો અને 33 જિલ્લા મથકોએ મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાય પદયાત્રા કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી મદદ કરવા માટેની પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવશે તેમજ ચાર લાખ વળતરની માંગણી કરવામાં આવશે. કોંગ્રેસે જણાવ્યુ છે કે કોવિડ મૃતકોના પરિવારોને ચાર લાખ વળતર અપાવવા માટે કોંગ્રેસ પક્ષે 45 હજારથી વધુ ફોર્મ ભરાવીને ભાજપનુ જૂઠ લોકો સમક્ષ ખુલ્લુ પાડ્યુ છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારની ઝાટકણી કાઢીને કહ્યુ હતુ કે કોરોના મૃતકોના પરિવારોને અપાતુ વળતર એ કોઈ ઉપકાર નથી. કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે રાજ્યમાં અનેક ઉત્સવો પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ મૃતકોના પરિવારોને વળતર આપવા માટે ચાર લાખ રૂપિયા આપવાનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો નથી. વધુમાં ગુજરાત કોંગ્રેસે કહ્યુ કે રાજ્યમાં સહાય માટે આવેલી અરજીઓનો આંકડો એક લાખથી વધુ છે. સ્વજનો વારંવાર સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે. ડેથ સર્ટિમાં મૃત્યુના કારણની ખોટી નોંધ સહિતના જુદા-જુદા કારણે સહાયમાં વિલંબ થઈ રહ્યો છે. આવી અન્યાયી બાબત ચલાવી ન શકાય.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ








Click it and Unblock the Notifications
