ઠગ હોય છે ગુજરાતીઓ, તેજસ્વી યાદવના વિવાદિત નિવેદન અંગે આજે કોર્ટમાં થશે સુનાવણી
બિહારના ડેપ્યુટી મુખ્યમંત્રી તેજસ્વી યાદવની સામે માનહાનિના એક કેસમાં અમદાવાદની અદાલતમાં આજે સુનાવણી કરવામાં આવે છે. તેજસ્વી યાદવના ગુજરાતીઓને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.
આ નિવેદનને કારણે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ કેસની પહેલી થયેલી સુનાવણી દરમિયાન સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે તેજસ્વીના નિવેદન લેવામાં આવ્યું હતું.

શું છે મામલો? - આરોપ છે કે, તેજસ્વી યાદવે થોડા મહિના પહેલા મેહુલ ચોક્સે પર બોલતા ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. તેજસ્વીએ કથિત રીતે ગુજરાતીઓને ઠગ કહ્યા હતા.
આ નિવેદનને લઈને અમદાવાદ સ્થિત સામાજિક કાર્યકર હરેશ મહેતાએ 26 એપ્રિલના રોજ તેજસ્વી યાદવ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહી છે.
તેજસ્વીને સમન્સ જાહેર કરવામાં આવશે કે નહીં? - કહેવામાં આવી રહ્યું છે કે, આ કેસની સુનાવણી બપોરે 3 કલાકની આસપાસ શરૂ થઈ શકે છે. આ કેસમાં રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓ માનહાનિના કેસ માટે પૂરતા છે કે, નહીં તે અંગે કોર્ટ નિર્ણય લેશે. આ કેસમાં તેજસ્વીને સમન્સ જાહેર કરવામાં આવશે કે નહીં.
વિવાદિત નિવેદન શું છે? - મેહુલ ચોક્સી પર ટિપ્પણી કરતી વખતે તેની જીભ લપસી ગઈ હતી. ત્યારે તેજસ્વીએ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બે ઠગ છે ને આજે દેશની સ્થિતિ જોઈએ, તો માત્ર ગુજરાતીઓ જ ગુંડા હોઈ શકે અને તેમને માફ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
