અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપ્યા સંકેત, ટુંક સમયમાં લેવાશે નિર્ણય
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોના હોવાના કારણે રથયાત્રા યોજાશે કે નહી તેને લઇને સવાલો ઉઠી રહ્યાં છે.

Recommended Video

આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ એક મહત્વનું નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે સમય આવ્યે રથયાત્રાને લઇ નિર્ણય લેવામાં આવશે. ગયા વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને રથયાત્રા યોજવામાં આવી ન હતી. હાલના સમયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મામલો પરિસ્થિતિ અનુકુળ રહી તો આવનારા સમયમાં સરકાર રથયાત્રાને લઇ નિર્ણય લેશે.
આ ઉપરાંત સીએમ રૂપાણીએ શાળામાં ફીને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતુ. સીએમ સાહેબે જણાવ્યું હતુ કે રાજ્યની શાળાઓમાં ફીને લઇને પણ સરકાર બહું જલ્દી નિર્ણય લેશે. ઉલ્લેખનિય છેકે હાલના સમયમાં શાળાઓએ 75 ટકા ફી લીધી છે. કોરોના મહામારીના લીધે વાલીઓ પણ ફી ભરવામાં અસમર્થ છે, જેથી સરકાર પાસે ફી માફીની માંગણી કરી છે. વાલીઓની માંગને ધ્યાનમાં રાખી સ્કુલ ફી અંગે પણ સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
