અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રાને લઇ સીએમ રૂપાણીએ આપ્યા સંકેત, ટુંક સમયમાં લેવાશે નિર્ણય
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી
અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોના હોવાના કારણે રથયાત્રા યોજાશે કે નહી તેને લઇને સવાલો ઉઠી રહ્યાં છે.

Recommended Video

આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ એક મહત્વનું નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે સમય આવ્યે રથયાત્રાને લઇ નિર્ણય લેવામાં આવશે. ગયા વર્ષે કોરોનાને ધ્યાનમાં રાખીને રથયાત્રા યોજવામાં આવી ન હતી. હાલના સમયમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ મામલો પરિસ્થિતિ અનુકુળ રહી તો આવનારા સમયમાં સરકાર રથયાત્રાને લઇ નિર્ણય લેશે.
આ ઉપરાંત સીએમ રૂપાણીએ શાળામાં ફીને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું હતુ. સીએમ સાહેબે જણાવ્યું હતુ કે રાજ્યની શાળાઓમાં ફીને લઇને પણ સરકાર બહું જલ્દી નિર્ણય લેશે. ઉલ્લેખનિય છેકે હાલના સમયમાં શાળાઓએ 75 ટકા ફી લીધી છે. કોરોના મહામારીના લીધે વાલીઓ પણ ફી ભરવામાં અસમર્થ છે, જેથી સરકાર પાસે ફી માફીની માંગણી કરી છે. વાલીઓની માંગને ધ્યાનમાં રાખી સ્કુલ ફી અંગે પણ સરકાર મહત્વનો નિર્ણય લઇ શકે છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
