કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડ્યુ, જણાવ્યુ આ કારણ
કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.
અમદાવાદઃ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. તેઓ 37 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત હતા. રાજીનામાં કાર્યકર્તાઓને સંબોધીને તેમણે બે પત્ર લખ્યા છે. જેમાં જયરાજસિંહે પરમારે જણાવ્યુ છે કે મે પાર્ટી છોડી છે, રાજનીતિ નહિ. તેમણે જણાવ્યુ છે કે લડવા નહિ માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાકી ગયો છુ.

ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વચન આપ્યા બપાદ ટિકિટ ન આપતા કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ ઉપરાંત જયરાજસિંહે આજે સવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી કોંગ્રેસ પક્ષ પરના પોતાના મુખ્ય પ્રવકતા સહિતના તમામ હોદ્દાઓ દૂર કરી દીધા છે. માત્ર મહેસાણા જિલ્લાના પૂર્વ પ્રમુખ અને વિપક્ષના નેતાનો જ હોદ્દો રાખ્યો છે. ટ્વિટર અકાઉન્ટ પરથી હોદ્દાઓ દૂર કરવાનો અર્થ તેમણે કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયુ હતુ. જેમાં પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભા દરબાર સહિત આગેવાનો જોડાયા હતા. જેમાં વાઘુભા જાડેજા, રણુભા જાડેજા પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લાના પીઢ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં અધ્યક્ષ સીઆર પાટિલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં ભગવો ધારણ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધૂભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા ભાજપમાં જોડાયા. મહેસાણા જિલ્લાના 150થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ભગવો ધારણ કર્યો.
કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે..
— Jayrajsinh Parmar (@JayrajKuvar) January 27, 2022
કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે ????
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય!







Click it and Unblock the Notifications
