અમદાવાદના પુર્વ વિસ્તારમાં પોલીસ સ્ટેશન પાસે જ છરીથી હુમલો!
અમદાવાદ શહેરમાં હવે ફરીથી ગુનાખોરી વધી રહી છે, હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં અવ્વલ આવતા અમદાવાદના પુર્વ વિસ્તાર ફરીથી ગુનેગારો સક્રિય થયા છે.
અમદાવાદ શહેરમાં હવે ફરીથી ગુનાખોરી વધી રહી છે, હત્યા, લૂંટ અને મારામારીની ઘટનાઓમાં અવ્વલ આવતા અમદાવાદના પુર્વ વિસ્તાર ફરીથી ગુનેગારો સક્રિય થયા છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગુનેગારો પોલીસ સ્ટેશનના બારણા પાસે જ ગુનાને અંજામ આપી રહ્યા છે.
Recommended Video


અમદાવાદના પુર્વ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર 50 ફુટના અંતરે છરીથી હુમલાની ઘટના બની છે. ઠાકોર સમાજના પ્રદેશ મંત્રી પર છરીથી હુમલાની ઘટના બની છે. 50 વર્ષી પ્રકાશ ઠાકોર જોગણી માતાના દર્શન જઈ રહ્યા હતા ત્યારે 2 શખ્સો બાઈક પર આવ્યા હતા અને હુમલો કર્યો હતો. બાઈક પર આવેલા શખ્સો ખુલ્લા છરા સાથે આવ્યા હતા અને પોલીસ સ્ટેશનના બારણે જ હુમલો કર્યો હતો. જો કે સ્થાનિકો સમયસર ભેગા થઈ જતા હુમલાખોરો બાઈક પર ફરાર થઈ ગયા હતા.
બાઈક પર આવેલા હુમલાખોરો છરા સાથે સીસીટીવી કેેમેરામાં કેદ થયા હતા. હાલ પોલીસે પ્રકાશ ઠાકોરની ફરીયાદના આઘારે તપાશ શરૂ કરી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં ગુનાખોરોને લાગે છે કે મોકળુ મેદાન મળી ગયુ છે. સુશાસનના દાવાઓ વચ્ચે નાગરિકો પર ખુલ્લેઆમ હુમલા થઈ રહ્યા છે ત્યારે હવે એ જોવાનું રહે છે કે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે?
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
