For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને ગુજરાત સરકારે આપી મંજૂરી, ગૃહમંત્રીએ જણાવ્યુ કેવી રીતે નીકળશે

ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યુ કે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને અખાડા, ભજન મંડળી તેમજ ઝાંકીઓ વિના રથયાત્રા બપોર સુધી નીકળશે. જાડેજાએ કહ્યુ કે ભગવાન જગન્નાથ પ્રત્યે લોકોમાં ખૂબ શ્રદ્ધા તેમજ આસ્થા છે. કોરોનાના કારણે જ રથયાત્રા ગયા વર્ષે કાઢવામાં આવી શકી નહોતી. જો કે, હવે રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે માટે કોવિડ પ્રતિબંધોનુ પાલન કરીને રથયાત્રા કાઢી શકાશે.

માત્ર 2 રથ, 3 વાહનો સાથે થશે આખા રથયાત્રા

માત્ર 2 રથ, 3 વાહનો સાથે થશે આખા રથયાત્રા

રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યુ કે 144મી રથયાત્રામાં સુરક્ષા કારણોસર એસઆરપીની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યુ કે રથયાત્રાની તૈયારીઓ માટે સરકારની મંદિર પ્રશાસન સાથે બેઠક થઈ હતી. જેમાં નક્કી થયુ કે રૂટ પર કર્ફ્યુ લાગેલો રહેશે. માત્ર 3 વાહન અને 2 રથને અનુમતિ આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યુ કે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોવિડના યોગ્ય નિયમોનુ પાલન કરે અને પ્રોટોકૉલને પણ ફોલો કરે.

પ્રસાદનુ વિતરણ નહિ થાય

પ્રસાદનુ વિતરણ નહિ થાય

ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એ પણ જણાવ્યુ કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી પરંપરાગત રથયાત્રા દરમિયાન પ્રસાદનુ વિતરણ નહિ થાય. તેમણે કહ્યુ કે પ્રસાદ વિતરણથી લોકોની ભીડ એકઠી થઈ જશે માટે આ વખતે પ્રસાદ વહેંચવામાં નહિ આવે. રથયાત્રા જ્યાંથી પસાર થશે ત્યાં હજારોની સંખ્યામાં ગુજરાત પોલિસના જવાનો તૈનાત રહેશે.

લોકો દૂરદર્શન પર લાઈવ જોઈ શકશે

લોકો દૂરદર્શન પર લાઈવ જોઈ શકશે

રથયાત્રા 12 જુલાઈના રોજ સવારે નિજ મંદિરથી પ્રારંભ થશે અને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં તેને પૂર્ણ કરી લેવામાં આવશે. આ દરમિયાન દર્શનાર્થી રથયાત્રામાં શામેલ થઈ શકશે નહિ. લોકો દૂરદર્શન પર તેમજ ખાનગી ટીવી ચેનલના માધ્યમથી રથયાત્રાના દર્શન કરી શકશે.

English summary
Lord Jagannath 144th Rath Yatra allowed by gujarat govt with 2 raths, people to follow Covid protocols.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X