ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને ગુજરાત સરકારે આપી મંજૂરી, ગૃહમંત્રીએ જણાવ્યુ કેવી રીતે નીકળશે
ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યુ કે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરીને અખાડા, ભજન મંડળી તેમજ ઝાંકીઓ વિના રથયાત્રા બપોર સુધી નીકળશે. જાડેજાએ કહ્યુ કે ભગવાન જગન્નાથ પ્રત્યે લોકોમાં ખૂબ શ્રદ્ધા તેમજ આસ્થા છે. કોરોનાના કારણે જ રથયાત્રા ગયા વર્ષે કાઢવામાં આવી શકી નહોતી. જો કે, હવે રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે માટે કોવિડ પ્રતિબંધોનુ પાલન કરીને રથયાત્રા કાઢી શકાશે.

માત્ર 2 રથ, 3 વાહનો સાથે થશે આખા રથયાત્રા
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યુ કે 144મી રથયાત્રામાં સુરક્ષા કારણોસર એસઆરપીની 20 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યુ કે રથયાત્રાની તૈયારીઓ માટે સરકારની મંદિર પ્રશાસન સાથે બેઠક થઈ હતી. જેમાં નક્કી થયુ કે રૂટ પર કર્ફ્યુ લાગેલો રહેશે. માત્ર 3 વાહન અને 2 રથને અનુમતિ આપવામાં આવશે. મંત્રીએ જણાવ્યુ કે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોવિડના યોગ્ય નિયમોનુ પાલન કરે અને પ્રોટોકૉલને પણ ફોલો કરે.

પ્રસાદનુ વિતરણ નહિ થાય
ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ એ પણ જણાવ્યુ કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી પરંપરાગત રથયાત્રા દરમિયાન પ્રસાદનુ વિતરણ નહિ થાય. તેમણે કહ્યુ કે પ્રસાદ વિતરણથી લોકોની ભીડ એકઠી થઈ જશે માટે આ વખતે પ્રસાદ વહેંચવામાં નહિ આવે. રથયાત્રા જ્યાંથી પસાર થશે ત્યાં હજારોની સંખ્યામાં ગુજરાત પોલિસના જવાનો તૈનાત રહેશે.

લોકો દૂરદર્શન પર લાઈવ જોઈ શકશે
રથયાત્રા 12 જુલાઈના રોજ સવારે નિજ મંદિરથી પ્રારંભ થશે અને સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં તેને પૂર્ણ કરી લેવામાં આવશે. આ દરમિયાન દર્શનાર્થી રથયાત્રામાં શામેલ થઈ શકશે નહિ. લોકો દૂરદર્શન પર તેમજ ખાનગી ટીવી ચેનલના માધ્યમથી રથયાત્રાના દર્શન કરી શકશે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
