PM મોદીનો બીજો દિવસે ગાંધીનગરમાં રોડ શો, રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનુ કર્યુ લોકાર્પણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો કર્યો.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો કર્યો. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા. દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારંભનુ આજે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન મોદી પહોંચ્યા જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને ગૃહમંત્રી અમિત શાહે આવકાર્યા. વળી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.
પીએમ મોદીનો રોડ શો
તમને જણાવી દઈએ કે યુનિવર્સિટીના નવા સંકુલનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રશાશક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે આ યુનિવર્સિટી તેમના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક હતો.
અમદાવાદમાં પણ કર્યો હતો રોડ શો
તમને જણાવી દઈએ કે પીએમમ મોદીએ કાલે અમદાવાદમાં રોડ શો કર્યો હતો. ત્યારબાદ પંચાયત મહાસંમેલનમાં રાજ્યના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની મા હીરાબેનને મળ્યા હતા. આ પહેલા તેઓ ઓક્ટોબર 2019માં પોતાની માને મળ્યા હતા પરંતુ ત્યારબાદથી પીએમ પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયા અને મા સાથે મુલાકાત થઈ શકી નહોતી.
રક્ષા શક્તિ યુનિવર્સિટીનુ લોકાર્પણ
આજે બીજા દિવસે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો યોજાયો હતો. ચિલોડાથી દહેગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનુ અભિવાદન ઝીલ્યુ હતુ.
ખેલ મહાકુંભનુ ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 1 વાગે રાજભવન પાછા ફરશે. ત્યારબાદ તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારના સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા વચ્ચે ખેલ મહાકુંભના ઉદઘાટન સમારંભમાં શામેલ થશે. વળી, રાતે 8.30 વાગે પીએમ મોદી સ્પેશિયલ ફ્લાઈટથી દિલ્લી માટે રવાના થશે.