PM મોદી આવતીકાલે સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે
SG હાઇવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે 11,672 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા સરદારધામ બિલ્ડિંગ 1600 વિદ્યાર્થીઓ/ઈચ્છુક લોકો માટે રહેણાંક સુવિધા ધરાવે છે.
અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પાટીદાર સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે બનેલા અમદાવાદમાં 'સરદારધામ' બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જે પાટીદાર સમુદાય માટે વન સ્ટોપ બિઝનેસ, સામાજિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઓળખાય છે.

સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરાઇ
સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે 11,672 ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા સરદારધામ બિલ્ડિંગ 1600 વિદ્યાર્થીઓ/ઈચ્છુક લોકો માટે રહેણાંક સુવિધા ધરાવે છે, 1,000 કોમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી ઈ લાઈબ્રેરી, લાઈબ્રેરી, હાઈ ટેક ક્લાસરૂમ, વ્યાયામશાળા, ઓડિટોરિયમ, મલ્ટી પર્પઝ હોલ, 50 લક્ઝરી રૂમ સાથે રેસ્ટહાઉસ અને અન્ય સુવિધાઓ સાથે વ્યવસાય અને રાજકીય સંગઠનો માટે આ સરદારધામ ઉપયોગી બનશે. સરદારધામ બિલ્ડિંગની સામે સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઉંચી કાંસાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
2500 વિદ્યાર્થિનીની કેપેસિટિ ધરાવતી કન્યા છાત્રાલયનું 'ભૂમિપૂજન' પણ કરવામાં આવશે
આ પ્રસંગે મોદી સરદારધામ પ્રોજેક્ટ ફેઝ 2 હેઠળ ગર્લ્સ હોસ્ટેલ (કન્યા છાત્રાલય) માટે 'ભૂમિપૂજન' સમારંભનું પણ આયોજન કરશે, જેમાં આશરે 2500 છોકરીઓને રહેવાની વ્યવસ્થા હશે, જે 200 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
મામ સમાજના વિદ્યાર્થીઓને સરદારધામ ભવનમાં રહેવાની અને અભ્યાસ કરવાની તક મળશે
સરદારધામ પ્રોજેક્ટના બે કેન્દ્રો યુપીએસસી/જીપીએસસી, ડિફેન્સ અને અન્ય સિવિલ સર્વિસ પ્રવેશ પરીક્ષાઓ માટે ઈચ્છુક ઉમેદવારોને પણ લાભ મળશે, જેમાં તેમને ઈન્ટરવ્યુ અને ગ્રુપ ડિસ્કશન માટે તૈયારી તેમજ તાલીમ માટે ફેકલ્ટી આપવામાં આવશે. વિશ્વ પાટીદાર સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તમામ સમાજના વિદ્યાર્થીઓને સરદારધામ ભવનમાં રહેવાની અને અભ્યાસ કરવાની તક મળશે.
ટોકન રકમ તરીકે 1 રૂપિયા ચાર્જ
ગુરુવારના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં વિશ્વ પાટીદાર સમાજના ઉપાધ્યક્ષ ટી. જી. ઝાલાવડિયાએ જણાવ્યું હતું કે, "સરદારધામ દ્વારા તમામ સમાજોના વિકાસના ભાગરૂપે, એક સમિતિ 'સર્વ સમાજ સમરસ સમિતિ'ની રચના કરવામાં આવી છે. સરદારધામ ખાતે યુપીએસસી/જીપીએસસી સિવિલ સર્વિસ ટ્રેનિંગ સેન્ટર અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તેમજ તમામ જાતિના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપશે. કન્યા છત્રવાસીઓ માટે અમે વિદ્યાર્થીનીઓ માટે પ્રવેશ, રોકાણ, તાલીમ અને ભોજન માટે ટોકન રકમ તરીકે 1 રૂપિયા ચાર્જ કરીશું."
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા તેમજ સરદારધામના દાતાઓ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
