અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો થયો અકસ્માત, ભેંસોના ઝુંડ સાથે ટકરાઇ ટ્રેન
થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. ગાંધીનગરથી મુંબઇ સુધી દોડતી વંદે ભારત ટ્રેન આજે અકસ્માતનો શિકાર બની છે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એ
થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. ગાંધીનગરથી મુંબઇ સુધી દોડતી વંદે ભારત ટ્રેન આજે અકસ્માતનો શિકાર બની છે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ આજે ભેંસોના ટોળાની સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ટ્રેનને નુકસાન થયું હતું. આ ટક્કરથી ટ્રેનના આગળના ભાગને ઘણું નુકસાન થયું હતું. મુંબઈથી અમદાવાદ આવતી વખતે રેલવે સ્ટેશન નજીક વટવા અને મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ટોળા સાથે તે અથડાઈ હતી. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.

આ અકસ્માતને કારણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. જેના કારણે ટ્રેન લાંબા સમય સુધી રોકાઈ હતી. આ બાદ ટ્રેનને સવારે સાડા અગિયાર આસપાસ ફરી શરૂ કરવામાં આવી છે.
રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગને મામૂલી નુકસાન થયું છે. ટ્રેનના સંચાલન પર કોઈ અસર નથી. ટ્રેન તેના નિર્ધારિત સમય પર ચાલી રહી છે. શર્માએ કહ્યું કે ટ્રેનના તૂટેલા આગળના ભાગને રિપેર કરવામાં આવશે. ટ્રેન સમયસર ચલાવવામાં આવશે. અકસ્માત બાદ ટ્રેનને 20 મિનિટ સુધી રોકવી પડી હતી. હાલમાં ટ્રેનને રીપેર કરીને મોકલવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગેરાતપુર-વટાવા સ્ટેશન વચ્ચે ટ્રેક પર અચાનક 3-4 ભેંસો આવી ગઈ હતી. જેના કારણે ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું હતું. જોકે, ટ્રેનમાં કોઈ સમસ્યા ન હતી. રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં ગાય અને ભેંસને પાળતા લોકો વંદે ભારતના સમયપત્રકથી વાકેફ નથી. આ જ કારણ છે કે ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું હતુ.
રેલવે વતી આજુબાજુના ગામોના લોકોને ટ્રેકની આસપાસ ઢોરને ખુલ્લામાં ન છોડવા સમજાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનિય છેકે દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી અને નવી દિલ્હી અને માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે દોડતી હતી.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
