TATAના પહેલા નોન-પારસી ચેરમેન નટરાજન શેખરની 10 ખાસ વાતો
જાણો કોણ છે TATAના નવા ચેરમેન નટરાજન ચંદ્રશેખર? 10 ખાસ વાતો
નટરાજન ચંદ્રશેખરનું નામ ટાટા સન્સના નવા ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીને ત્રણ મહિના પહેલા પદ પરથી નીકાળ્યા બાદ હવે ટાટાએ પહેલી વાર એક નોન-પારસી વ્યક્તિને તેના ગ્રુપના ચેરમેન તરીકે પસંદ કર્યો છે. ત્યારે કોણ છે ચંદ્રશેખર જેને "મેરેથોન મેન" તરીકે ઓળખવામાં આવે છે. તે અંગે વધુ જાણો અહીં...

46 વર્ષમાં બન્યા CEO
1963માં જન્મેલા ચંદ્રશેખરન, પત્ની લલિતા અને પુત્ર પ્રણવ સાથે મુંબઇમાં રહે છે. આ પહેલા ચંદ્રશેખર ટાટા ગ્રુપના ક્રાઉન જ્વેલનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તે 2009માં ટાટા કન્સલટન્સી સર્વિસિસ સાથે જોડાયા હતા. ત્યારે આજે તે 46 વર્ષની ઉંમરે ટાટા ગ્રુપના સીઇઓ બન્યા છે.

નારાયણ મૂર્તિએ કર્યા વખાણ
ચેરમેન તરીકે ચંદ્રશેખરની નિયુક્તીને ઇન્ફોસિસના કો ફાઉન્ડર એન.આર.નારાયણ મૂર્તિ પણ વખાણ્યું છે. તેમણે કહ્યું કે ચંદ્રશેખર હંમેશા જ લોકોની સાથે શીખતા રહે છે. અને લોકોની સાથે રહે છે. તેમણે કહ્યું કે મને તે વાતમાં કોઇ શંકા નથી કે પૂરી કંપની આ વાતની ઉજવણી મનાવી રહી હશે. મૂર્તિએ ચંદ્રશેખરની નિયુક્તિને શ્રેષ્ઠ પસંદ જણાવ્યું છે.

TCSનો રેવેન્યૂ વધ્યો
ચંદ્રશેખરને કોયબંતૂર ઇસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીથી એપ્લાઇડ સાયન્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. અને ત્રિચીથી તેમણે કોમ્પ્યૂટર એપ્લિકેશનમાં માસ્ટરની ડિગ્રી લીધી છે. તેમને અનેક વિશ્વવિદ્યાલયોથી માનદ સ્વરૂપે ડિગ્રી અને ડોક્ટ્રેટ મળી ચૂક્યું છે. 1987માં TCS જોઇન કરનાર ચંદ્રશેખરે તેમના કાર્યકાળ દરમિયાન રેવેન્યૂ ગ્રોથને 1,12,257 કરોડ જેટલો વધાર્યો છે.. સાથે જ માર્કેટ કેપિટલ પણ 4,76,435 કરોડ રૂપિયાથી વધારે થયો છે.

TCSના ચેરમેન
જ્યારે ચંદ્રશેખર ટીસીએસના સીઇઓ હતા ત્યારે કંપનીનો નફો 7,093 કરોડથી વધીને 24,375 કરોડ રૂપિયા થઇ ગયો. ગત વર્ષમાં સાયરસને નીકાળ્યા પછી તે ટાટા સન્સ બોર્ડના મેમ્બર બન્યા. 2012-13માં નેશનલ એસોસિયેશન ઓફ સોફ્ટવેયર એન્ડ સર્વિસિસ કંપનીના ચેરમેન પણ તે રહી ચૂક્યા છે.

ફોટોગ્રાફીનો શોક
ચંદ્રશેખર, ભારત સરકાર દ્વારા રચવામાં આવેલા અનેક ટાસ્ક ફોર્સિસના સદસ્ય રહી ચૂક્યા છે. ચંદ્રશેખરને ફોટોગ્રાફી સમતે મેરેથોનમાં ભાગ લેવાનો પણ શોખ છે. તે અનેક શહેરોની મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યા છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
