પંજાબમાં સગર્ભાના મૃત્યુદરમાં 13.93 ટકાનો ઘટાડો, જાણો શું કહ્યું આરોગ્યમંત્રીએ?

પંજાબમાં ભગવંત માનની સરકાર બન્યા બાદ સતત એક પછી એક મોટા આરોગ્ય સુધાર કરવામાં આવી રહ્યા છે. ભગવંત માન સરકાર દ્વારા સંચાલિત આમ આદમી ક્લિનિક જેવી યોજનાથી રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા છે.

ચંદીગઢ : પંજાબમાં ભગવંત માનની સરકાર બન્યા બાદ સતત એક પછી એક મોટા આરોગ્ય સુધાર કરવામાં આવી રહ્યા છે. ભગવંત માન સરકાર દ્વારા સંચાલિત આમ આદમી ક્લિનિક જેવી યોજનાથી રાજ્યમાં આરોગ્ય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા છે. હાલમાં જ સામે આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં સગર્ભાઓના મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

pregnanat

પંજાબ સરકાર આરોગ્યને લઈને એક પછી એક પગલા ભરી રહી છે ત્યારે પંજાબના આરોગ્ય મંત્રી ચેતન સિંહ જોડામાજરાએ જણાવ્યુ કે,રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર પંજાબમાં ગર્ભાવસ્થા દરમિયાન માતાનો મૃત્યુદર 129 થી ઘટીને 105 પર આવી ગયો છે, જે 13.93 ટકાનો ઘટાડો દર્શાવે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ગર્ભાવસ્થા દરમિયાન અથવા બાળકના જન્મબાદના 42 દિવસોમાં થતા માતાના મૃત્યુને માતૃત્વ મૃત્યુદર ગણવામા આવે છે. આરોગ્ય મંત્રીએ આગળ જણાવ્યુ કે, એમએમઆર આરોગ્ય રાજ્યના સામાજિક-આર્થિક વિકાસનું મુખ્ય સૂચક છે અને પંજાબ આવી સિદ્ધિઓથી એક નવા માર્ગ પર છે. એમએમઆરમાં સતત ઘટાડા સાથે આપણે 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના 70 પ્રતિ લાખ જીવંત જન્મના લક્ષ્યાંકને પહોંચી વળવાના માર્ગ પર છીએ. તેમણે કહ્યું કે 2023ના અંત સુધીમાં પંજાબમાં 38 પ્રસૂતિ હોસ્પિટલો હશે.

કોઈપણ દેશ કે રાજ્યમાં માતાના આરોગ્યની સંભાળ મુખ્ય મુદ્દો હોય છે ત્યારે મંત્રીએ આગળ જણાવ્યુ કે, સિઝેરિયન વિભાગ દ્વારા પ્રસૂતિને બદલે સામાન્ય પ્રસૂતિને પ્રોત્સાહિત કરવા પંજાબ એક નવી કેડર લઈ રહ્યું છે - મિડવાઈફરીમાં નર્સ પ્રેક્ટિશનર (NPM). આ માટે પટિયાલાની માતા કૌશલ્યા સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે નેશનલ મિડવાઇફરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (NMTI) શરૂ કરવામાં આવી છે.

અહીં મિડવાઇફરી એજ્યુકેટર્સની પ્રથમ બેચને યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવે છે. આ માટે આંતરરાષ્ટ્રીય મિડવાઇફરી એજ્યુકેટર્સ પણ સામેલ કરાયા છે. તેઓને ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને કેન્યાથી બોલાવવામાં આવ્યા છે. આ માટે પસંદ કરાયેલા 16 રાજ્યોમાંથી પંજાબ આ પ્રતિષ્ઠિત સંસ્થા શરૂ કરનાર ત્રીજું રાજ્ય છે. પંજાબ વ્યાપક પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાનને સફળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યું છે. તમામ ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા સ્ત્રીઓને ટ્રેક કરવામાં આવી રહી છે. તેમને નજીકની આરોગ્ય સંસ્થામાં તબીબી અધિકારી દ્વારા સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ મહિલાઓને પરિવહન સહાય તરીકે પ્રતિ મુલાકાત 100 રૂપિયા આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X