મોદી સરકારના આઠ વર્ષની ઉજવણીમાં ગુજરાત ભાજપે જાહેર જોડાણ કાર્યક્રમોનું આયોજન કર્યું
કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ગુજરાત ભાજપે રાજ્યભરમાં શ્રેણીબદ્ધ જાહેર જોડાણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
ગાંધીનગર : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના આઠ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ગુજરાત ભાજપે રાજ્યભરમાં શ્રેણીબદ્ધ જાહેર જોડાણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકોમાં પ્રસિદ્ધ કરવાનો સમાવેશ થશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની સરકારે છેલ્લાં આઠ વર્ષમાં સાચું સુશાસન (ગુડગવર્ન્સ) બતાવ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વના કારણે ભારતને વૈશ્વિક ઓળખ મળી છે. આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના, જન ધન ખાતા, યુવાનોની તાલીમ અને મુદ્રા યોજના દ્વારા ધિરાણ જેવી કલ્યાણકારી યોજનાઓએ કરોડો લોકોના જીવન બદલ્યા છે. જનધન ખાતાએ ભ્રષ્ટાચારને અટકાવ્યો છે. PMની મફત રસીકરણ અભિયાનને કારણે ઘણા દેશો હજૂ પણ કોવિડ-19 રોગચાળા સામે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે હવે ભારતે આ પડકારને પાર કરી લીધો છે.
સી આર પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપે જનતા સુધી પહોંચવા અને કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે નાગરિકોને જણાવવા માટે 15 દિવસની ડ્રાઇવનું આયોજન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યની ભાજપ સરકાર ગુજરાત માટે ડબલ એન્જિન સાબિત થઈ છે અને તેના વિકાસને વેગ આપ્યો છે. ગુજરાતને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળ્યો છે.












Click it and Unblock the Notifications
