4 july Covid Update : દેશમાં 16,135 કેસ અને 24 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 456 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 386 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
4 july Covid Update : ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 456 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 386 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ જિલ્લામાં નોંધાયા આટલા કેસ
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 207, સુરતમાં 97 કેસ, વડોદરામાં 39 કેસ,ભાવનગરમાં 15 કેસ, કચ્છ, મહેસાણા અને નવસારીમાં 13 કેસ, ગાંધીનગરમાં 14 કેસ, વલસાડ 12 કેસ, રાજકોટમાં 2 કેસ નોંધાયા છે.
અરવલ્લી, મોરબી અને સુરેન્દ્રનગરમાં 4-4 કેસ નોંધાયા
પાટણ, આણંદ અને ભરૂચમાં 4-4 કેસ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 3-3 કેસ નોંધાયા છે. અરવલ્લી, મોરબી અને સુરેન્દ્રનગરમાં 2-2કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ, જામનગર અને પંચમહાલમાં એક-એક કેસ નોંધાયો છે.
3 ની હાલત ગંભીર
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,947 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,19,202 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3548 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ 11,15,32,706 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.83 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 12,372 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,15,32,706 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
4 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 203 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 4 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.
આ સાથે શહેરી વિસ્તારમાં 156 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 1120 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 60 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
4 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 0 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 9 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 142 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 26 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.
4 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 16,135 નવા પોઝિટિવકેસ નોંધાયા છે, જે રવિવારના રોજ નોંધાયેલા 16,103 સંક્રમણના પોઝિટિવ કેસ અને 24 મૃત્યુ કરતાં થોડો વધારે છે.
સક્રિય કેસ હવે1,13,864 છે અને દેશભરમાં અત્યાર સુધીમાં 5,25,223 મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પણ દર્શાવે છે કે 4,28,79,477દર્દીઓને રજા આપવામાં આવી છે.
મુંબઈમાં 761 પોઝિટિવ કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં રવિવારના રોજ 648 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 સંબંધિત મૃત્યુ થયા છે.સકારાત્મકતા દર 4.29 ટકા છે. આ સમયગાળા દરમિયાન મુંબઈમાં 761 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોવિડ-19 રસીકરણ કવરેજ 2 જુલાઈના રોજ 197.94 કરોડને વટાવી ગયું
સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે ભારતના સંચિત રસીકરણ કવરેજ પર ડેટા જાહેર કર્યો. માહિતી અનુસાર, 2 જુલાઈ, 2022ના રોજ રસીના 8લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા.
અહેવાલમાં જણાવાયું છે: ભારતમાં કોવિડ-19 રસીકરણ કવરેજ 2 જુલાઈના રોજ 197.94 કરોડ(1,97,94,45,839)ને વટાવી ગયું છે.
8 થી વધુ આજે સાંજે 7 વાગ્યા સુધી લાખ (8,84,921) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દૈનિકરસીકરણની સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે.