પહેલો ડોઝ લેનાર 81 ટકા લોકોએ બીજા ડોઝના શિડ્યુલનુ પાલન કર્યુ
પહેલો ડોઝ મેળવનારામાંથી લગભગ 81 ટકા લોકોએ શિડ્યુલનુ પાલન કર્યુ છે અને બીજો ડોઝ મેળવી લીધો છે.
અમદાવાદઃ છેલ્લા 50 દિવસોમાં કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ વ્યક્તિઓની સંખ્યા 90 ટકાથી 94 ટકા થઈ ગઈ છે જે 4 ટકાનો વધારો દર્શાવે છે. તેની સરખામણીમાં બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 48 ટકામાંથી 76 ટકા થઈ છે જે 28 ટકાનો વધારો દર્શાવે છે. કુલ મળીને રાજ્ય પ્રશાસન દ્વારા પ્રશાસિત પ્રત્યેક પહેલા શૉટ માટે રાજ્યએ સમય દરમિયાન સાત બીજા ડોઝ આપ્યા. રાજ્યના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, 'પહેલો ડોઝ મેળવનારામાંથી લગભગ 81 ટકા લોકોએ શિડ્યુલનુ પાલન કર્યુ છે અને બીજો ડોઝ મેળવી લીધો છે.
રાજ્યમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ છે. અમુક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર વેક્સીનેશન ચાલી રહ્યુ છે. જેમને બીજો ડોઝ બાકી છે તે ફોન પણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાવાર સ્ટેટસ મુજબ બોટાદમાં 5.62 લાખની વસ્તીમાં સૌથી ઓછો પહેલો ડોઝ 69 ટકા ત્યારબાદ પાટણ 74 ટકા અને અમરેલી 75 ટકા - આ ત્રણેય રાજ્યની સરેરાશના 20 ટકા છે. એ જ રીતે બીજા ડોઝમાં ડાંગ 46 ટકા અને બોટાદ 60 સાથે રાજ્યની સરેરાશના 20 ટકા ઓછો છે.
શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પહેલો ડોઝ 99 ટકા સુધી પહોંચી ગયો છે. તે જ રીતે ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત અને વડોદરામાં 100 ટકા પહેલો ડોઝ કવર કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં બીજા ડોઝનુ સૌથી વધુ કવરેજ 88 ટકા અને અમદાવાદમાં સૌથી ઓછુ 66 ટકા કવરેજ છે. બાકીના અન્ય શહેરોમાં 75 ટકાથી 85 ટકા કવરેજ છે.