જામનગરમાં ફસાયેલા પંજાબના મજૂરોની વતન વાપસી માટે એસી સ્લીપર બસની વ્યવસ્થા કરાઇ
જામનગરમાં ફસાયેલા પંજાબના મજૂરોની વતન વાપસી માટે એસી સ્લીપર બસની વ્યવસ્થા કરાઇ
જામનગરઃ લૉકડાઉનને પગલે દેશભરમાં શ્રમિક મજૂરોને સૌથી વધુ નુકસાન થયું છે, તેમની રોજી રોટી તો છીનવાઈ જ ગઈ છે સાથે જ લૉકડાઉનને પગલે પોતાના વતન જવા માટે તેમણે ભારે જહેમત પણ ઉઠાવવી પડી રહી છે. આવી જ રીતે જામનગરમાં પણ પંજાબના મજૂરો ફસાઈ ગયા હતા જેમની તંત્ર અને જામગનર પોલીસે મળી વતન વાપસીની વ્યવસ્થા કરી છે.

જામનગરમાં ફસાયા હતા મજૂર
જણાવી દઈએ કે લૉકડાઉનને પગલે જામનગરમાં ફસાયેલા પંજાબના કેટલાક મજૂરોને કંપનીઓએ પગાર આપી છૂટા કરી દીધા હતા. ત્યારે આ મજૂરોએ પંજાબ સરકારને મદદ માટે પોકાર લગાવી હતી પરંતુ તેમની કોઈએ એક ના સાંભળી. જો કે બાદમાં સ્થાનિક તંત્ર અને જામનગર પોલીસના સહયારા પ્રયત્નોથી આ મજૂરોની વતન વાપસીની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ પાસે મદદ માંગી
મજૂરોને એકેય તરફથી મદદ ના મળતાં આખરે તેમણે જામનગર પોલીસના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરી મદદ માંગી હતી. બાદમાં જામનગર (મેઘપર) પોલીસ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી એ.સી. સ્લીપર બસની વ્યવસ્થા કરી છે. જેના મારફતે જામનગરમાં ફસાયેલા કુલ 73 જેટલા શ્રમિકોને પંજાબ પહોંચાડવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્ર બાદ ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે જ્યાં અત્યાર સુધીમાં 15195 કન્ફર્મ કેસ સામે આવ્યા છે જેમાંથી 938થી વધુ સંક્રમિતોના મોત થયાં છે. ગુજરાતના મોટાભાગના કેસ અમદાવાદથી સામે આવી રહ્યા છે. કુલ 15195 કેસમાંથી 11097 કેસ માત્ર એકલા અમદાવાદમાંથી જ સામે આવ્યાં છે અને 938 મૃત્યુમાથી 764 મૃત્યુ એકલા અમદાવાદમા થયાં છે. અમદાવાદમાં દરરોજ 200થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
