અમદાવાદઃ કોરોના વાયરસથી થતા મોતના આંકડાઓમાં સામે આવી તંત્રની પોલંપોલ
ગુજરાતના અમદાવાદમાં મોતના આંકડાઓ બાબતે મોટી પોલંપોલ સામે આવી છે
દુનિયાભરમાં અત્યારે કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. કોરોના સંક્રમિત લોકો અને કોરોનાથી થયેલ મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલ મોત અને સંક્રમિતોના આંકડા રોજેરોજના રેકૉર્ડ તોડી રહ્યા છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં મોતના આંકડાઓ બાબતે તંત્રની મોટી પોલંપોલ સામે આવી છે.

માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાથી થયેલ મોતના આંકડા અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયેલ કોરોના સંક્રમિતોના આંકડામાં ઘણો મોટો તફાવત દેખાઈ રહ્યો છે. દિવ્યભાસ્કરમાં જણાવાયેલ વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ છેલ્લા 13 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ લોકોની સંખ્યા 79 છે પરંતુ વિવિધ વિસ્તારોના સ્મશાનની યાદી મુજબ આ જ 13 દિવસમાં 329 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપાલ કૉર્પોરેશનના આંકડા મુજબ 1 જુલાઈએ કોરોનાથી 8 મોત થયાની માહિતી આપી હતી પરંતુ વિવિધ વિસ્તારોમાં સ્મશાનમાં 27 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે મુજબ 4 જુલાઈથી 13 જુલાઈ વચ્ચેના આંકડાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે જે તંત્રની પોલંપલ ખુલ્લી પાડે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
