For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ કોરોના વાયરસથી થતા મોતના આંકડાઓમાં સામે આવી તંત્રની પોલંપોલ

ગુજરાતના અમદાવાદમાં મોતના આંકડાઓ બાબતે મોટી પોલંપોલ સામે આવી છે

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં અત્યારે કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. કોરોના સંક્રમિત લોકો અને કોરોનાથી થયેલ મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં થયેલ મોત અને સંક્રમિતોના આંકડા રોજેરોજના રેકૉર્ડ તોડી રહ્યા છે ત્યારે ગુજરાતના અમદાવાદમાં મોતના આંકડાઓ બાબતે તંત્રની મોટી પોલંપોલ સામે આવી છે.

corona

માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાથી થયેલ મોતના આંકડા અને સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયેલ કોરોના સંક્રમિતોના આંકડામાં ઘણો મોટો તફાવત દેખાઈ રહ્યો છે. દિવ્યભાસ્કરમાં જણાવાયેલ વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના જણાવ્યા મુજબ છેલ્લા 13 દિવસમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલ લોકોની સંખ્યા 79 છે પરંતુ વિવિધ વિસ્તારોના સ્મશાનની યાદી મુજબ આ જ 13 દિવસમાં 329 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપાલ કૉર્પોરેશનના આંકડા મુજબ 1 જુલાઈએ કોરોનાથી 8 મોત થયાની માહિતી આપી હતી પરંતુ વિવિધ વિસ્તારોમાં સ્મશાનમાં 27 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે મુજબ 4 જુલાઈથી 13 જુલાઈ વચ્ચેના આંકડાઓમાં પણ મોટો તફાવત જોવા મળ્યો છે જે તંત્રની પોલંપલ ખુલ્લી પાડે છે.

બૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટાબૉલિવુડ ડેબ્યુ પહેલા પ્રિયંકા ચોપડાનો જુઓ અંદાજ, મૉડલિંગના દિવસોના RARE ફોટા

English summary
Ahmedabad: Big difference reveal in the government statistics of deaths due to corona virus and real corona death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X