For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ahmedabad serial blast 2008 : 13 વર્ષની રાહ, 38ને ફાંસી, જાણો કેવી રીતે ઘડવામાં આવ્યું હતું કાવતરું

વર્ષ 2008માં અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આજે આ વિસ્ફોટના 13 વર્ષ બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારી છે.

|
Google Oneindia Gujarati News

Ahmedabad serial blast 2008 : વર્ષ 2008માં અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ 21 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આજે આ વિસ્ફોટના 13 વર્ષ બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે 11ને આજીવન કેદની સજા ફટકારી છે. દેશના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે 38 દોષિતોને એક સાથે ફાંસીની સજા આપવામાં આવી છે.

UAPA હેઠળ આરોપો સાબિત થયા હતા અને તેમને સજા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પહેલા 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં 20 જગ્યાએ 70 મિનિટમાં 22 બ્લાસ્ટ થયા હતા. આ સીરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા. જ્યારે આ આતંકી હુમલામાં 240 લોકો ઘાયલ થયા હતા.

વળતરની જાહેરાત, ગુનેગારો પર લાખોનો દંડ

વળતરની જાહેરાત, ગુનેગારો પર લાખોનો દંડ

આ કેસમાં સજાની જાહેરાત કરતી વખતે કોર્ટે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું પણ કહ્યું છે.

આ સાથે જે લોકોગંભીર રીતે ઘાયલ થયા છે, તેમને 50 હજાર રૂપિયા અને જેઓ સામાન્ય રીતે ઘાયલ છે તેમને 25 હજાર રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે.

દોષિતોમાં, ઉસ્માઅગરબત્તીવાલાને આર્મ્સ એક્ટ હેઠળ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે તેણીને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવવા બદલ વધારાની એક વર્ષની જેલનીસજા ફટકારવામાં આવી છે.

કોર્ટે તમામ 48 દોષિતોને 2.85-2.85 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે અગરબત્તીવાલા પર 2.88 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાંઆવ્યો છે.

13 વર્ષ બાદ સુનાવણી

13 વર્ષ બાદ સુનાવણી

આ સમગ્ર કેસની સુનાવણી 13 વર્ષ સુધી ચાલી હતી. સુનાવણી દરમિયાન અનેક વખત ન્યાયાધીશો પણ બદલાયા, પરંતુ આજે આખરે આ ધડાકામાં દોષિતોને સજાસંભળાવવામાં આવી હતી.

સમગ્ર મામલો 19 દિવસમાં ઉકેલાઈ ગયો હતો. આ કેસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આ કેસમાં 35થી વધુFIR નોંધવામાં આવી હતી. જે બાદ આ બ્લાસ્ટને લઈને 2009માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર કેસમાં કુલ 78 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાંઆવી હતી અને આ કેસમાં 1100 લોકોએ જુબાની આપી હતી. આ કેસમાં 521 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

બદલાઇ ગયા 7 જજ

બદલાઇ ગયા 7 જજ

અમદાવાદ બ્લાસ્ટની ટ્રાયલ 13 વર્ષ સુધી ચાલી હતી, જે દરમિયાન 7 જજોની બદલી કરવામાં આવી હતી. 13 વર્ષની લાંબી રાહ જોયા બાદ આજે આખરે 49આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે 28ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આ હુમલો એવી રીતે કરવામાં આવ્યો હતો કે, મહત્તમ લોકોના જીવ ગયા હતા.અમદાવાદમાં ગુજરાત સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, પાર્કિંગમાં પાર્ક કરેલી બસો, બાઇકો અને કારમાં બોમ્બ મૂકવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં બોમ્બ મૂકવાપાછળનો હેતુ એ હતો કે, જ્યારે ઘાયલો અહીં પહોંચે તો તેમને અહીં પણ રાહત ન મળે. કલોલ અને નરોડામાં પ્લાન્ટ કરાયેલા બે બોમ્બ ફૂટ્યા ન હતા. મહત્વનું છે કે,2008માં જયપુર અને બેંગ્લોર બાદ અમદાવાદ ત્રીજું શહેર હતું, જ્યાં બ્લાસ્ટ થયો હતો.

ઈન્ડિયન મુજાહિદ્દીને જવાબદારી લીધી

ઈન્ડિયન મુજાહિદ્દીને જવાબદારી લીધી

તમામ મીડિયા હાઉસને મોકલવામાં આવેલા ઈમેલમાં ઈન્ડિયન મુજાહિદ્દીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. 27 જુલાઈના રોજ સુરતમાં પણ આવો જ હુમલો કરવામાંઆવ્યો હતો.

અહીં એક સફાઈ કામદાર પોતાના ઘરે રેડિયો લઈ ગયો હતો, તેને લાગ્યું કે તે રેડિયો છે, પણ તેમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટ સુધીમાં,પોલીસે કુલ 29 જીવંત બોમ્બ શોધી કાઢ્યા હતા, જેમાંથી એક પણ વિસ્ફોટ થયો ન હતો.

કારણ કે, તેમની બેટરી ખૂબ જ ઓછા વોલ્ટેજની હતી. વર્ષ 2010 અને 2011માંપૂણે અને મુંબઈમાં પણ જર્મન બેકરીમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. જેમાં RDX અને NFOનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

English summary
Ahmedabad serial blast 2008 court pronounce historical verdict to hand 38 all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X