સૂરતમાં વંદે ભારત એક્સપ્રેસ પર પત્થરમારો, AIMIM ના નેતાઓ સાથે યાત્રા કરી રહ્યા હતા ઓવૈસી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. તમામ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી દિધી છે. આ ચૂંટણીમાં ઓલ ઇંડિયા મજલિ એ ઇતેહાદુલ (AIMIM) મુસ્લિમીર ચીફ અસદ્દુદીન ઓવેસીની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. સોમવારે ગુજરાતના પ્રવાસે આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. તમામ પાર્ટીઓએ પોતાની તાકાત લગાવી દિધી છે. આ ચૂંટણીમાં ઓલ ઇંડિયા મજલિ એ ઇતેહાદુલ (AIMIM) મુસ્લિમીર ચીફ અસદ્દુદીન ઓવેસીની પણ એન્ટ્રી થઇ ચૂકી છે. સોમવારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમની પાર્ટીનો દાવો છે કે, જ્યારે તે ગુજરાતની વંદે ભારત એક્સપ્રેસ ટ્રનમાં યાત્રા કરી રહ્યા હતા ત્યારે તમના પર ટ્રેન પર પત્થરમારો થયો હતો. જો કે, ઓવૈસી અને અન્ય યાત્રી સુરક્ષિત છે.
AIMIM નેતા વાારિસ પઠાણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે . તેણે ઘણી તસવીર પણ શેર કરી છે. જેમા ઓવૈસી સીટ પર બૈઠૈલા નજર આવી રહ્યા છે. પત્થરમારાને લીધે કાંચ થોડો તુટી ગયો છે. તેમણે લખ્યુ છે કે, આજ સાંજે જ્યારે અમે ઓવૈસી સાહેબ સાથે અમદાવાદથી સુરતની યાત્રા વંદે ભારત એક્સપ્રેસમાં કરી રહ્યા હતા. ત્યારે કોઇ અજ્ઞાત લોકોએ ટ્રેન પર જોરથી પત્થર ફેંક્યા હતા. જો કે, રેલ્વે તરફથી આના પર કોઇ જ અધિકારીક નિવેદન નથી આવ્યુ.
કાંચ હોય છે મજબૂત
વંદે ભારત ટ્રેન એક્સપ્રેસ સૌથી ઝડપી ગતીએ ચલતી ટ્રેન છે. આ ટ્રેનની ઉદ્ધઘાટન થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી મુંબઇ માટે વંદે ભારત ટ્રેનની શરુઆત કરી છે. આ ટ્રેન સંપૂર્ણરીતે એરકંડિનર છે. તેના ડબ્બાને મજબૂતી સાથે ડિઝાઇન કરવામાં આવયા છે. આ સિવાય તેમા સ્પેશિયલ કાંચનો ઉપયોગ થયો છે. જેથી કરીને પત્થરબાજી થાય તો પણ કાચ તુટે નહી. અને યાત્રીઓને ઓછામાં ઓછુ નુક્સાન થાય.
30 સીટ પર ઉતાર્યા ઉમેદવાર
ઓવૈસીએ પોતાની પાર્ટીના 30 ઉમેદવારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે. જે અનુસાર અત્યાર સુધીમાં 5 વિધાનસભા સીટો પર પોતાના ઉમેવાદરોની જાહેરાત કરી છે. જેમા સુરત પૂર્વ, લિબાયત, જમાલપુર ખાડીયા, દાણીલીમદા, બાપુનગર,ની સીટનો પણ સમાવેશ થાય છે. ઓવૈસીનો દાવો છે કે, પાર્ટી ગુજરાતમાં સારો દેખાવ કરશે.