નવરાત્રિમાં અંબાજી ધામ પર 52 વર્ષોમાં પહેલી વાર નહિ નીકળે રથયાત્રા
દુનિયાભરના હિંદુઓની આસ્થાનુ કેન્દ્ર રહેલ ગુજરાતના અંબાજી મંદિરથી આ વર્ષે નવરાત્રિમાં રથયાત્રા નહિ નીકળે.
ગાંધીનગરઃ દુનિયાભરના હિંદુઓની આસ્થાનુ કેન્દ્ર રહેલ ગુજરાતના અંબાજી મંદિરથી આ વર્ષે નવરાત્રિમાં રથયાત્રા નહિ નીકળે. મંદિર પ્રશાસન દ્વારા શહેરમાં કોરોના મહામારીના પ્રકોપને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર બનવાના 52 વર્ષ દરમિયાન પહેલી વાર આવુ થઈ રહ્યુ છે જ્યારે રથયાત્રાનુ આયોજન નહિ કરવામાં આવે. છેલ્લા 52 વર્ષોથી નવરાત્રિ દરમિયાન આ મંદિરથી એક રથયાત્રા કાઢવામાં આવતી હતી જે વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી હતી.

અહીં આ વર્ષે રથયાત્રા નહિ નીકળે
મા અંબાજીનુ આ મંદિર ગુજરાત-રાજસ્થાનની સીમા પાસે સ્થિત છે. માનવામાં આવે છે કે અહીં લગભગ 1200 વર્ષથી પ્રતિમાનુ પૂજન કરવામાં આવે છે. નવા મંદિરના જીર્ણોદ્ધારનુ કામ 1975થી શરૂ થયુ હતુ અને ત્યારથી અત્યાર સુધી ચાલુ છે. સફેદ સંગેમરમરથી નિર્મિત આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનુ શિખર 103 ફૂટ ઉંચુ છે. શિખર પર 358 સ્વર્ણ કળશ સુસજ્જિત છે. એટલુ જ નહિ અહીં માનુ એક શ્રીયંત્ર પણ સ્થાપિત છે. આ શ્રીયંત્રને અમુક રીતે સજાવવામાં આવે છે કે જોનારાને લાગે કે મા અંબા અહીં સાક્ષાત બિરાજમાન છે.

મા અંબા ભવાનીના શક્તિપીઠોમાંનુ એક
અંબાજી વિશે કહેવાય છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણનુ મંડન સંસ્કાર થયુ હતુ. અમુક શાસ્ત્રોમાં એ પણ ઉલ્લેખ છે કે ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે. વર્તમાનમાં મા અંબા ભવાનીના શક્તિપીઠોમાંના એક આ મંદિર પ્રત્યે ભક્તોમાં અપાર શ્રદ્ધા છે. શક્તિના ઉપાસકો માટે આ મંદિર ખૂબ જ મહત્વ ધરાવે છે. આ મંદિરમાંથી લગભગ 3 કિલોમીટરના અંતરે ગબ્બર નામનો પર્વત છે. આ પર્વત પર દેવી માનુ પ્રાચીન મંદિર છે.

પત્થર પર મા અંબાના પગલાં
પર્વત પર સ્થિત દેવી માના પ્રાચીન મંદિરમાં એક પત્થર પર માના પગલાં બનેલા છે. પગલા સાથે સાથે રથ ચિહ્ન પણ છે. કોરોના મહામારી ફેલાતા પહેલા સુધી અંબાજીના દર્શન ઉપરાંત શ્રદ્ધાળુઓ ગબ્બર પર જરૂર આવતા હતા. જ્યાં દર વર્ષે ભાદરવા સુદ પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ ભેગા થાય છે. ભાદરવા સુદ પૂનમે આ મંદિરમાં ભેગા થતા શ્રદ્ધાળુઓ ગબ્બર નામની પર્વતીયમાળા પર પણ જાય છે.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
