વંદે ભારત ટ્રેનનો સંજાણ-ઉદવાડ વચ્ચે પશુ સાથે અકસ્માત થતા ટ્રેન અટકાવી પડી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી મુંબઇ વચ્ચે સૌથી આધુનિક ટ્રેન વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવાવી હતી. આ ટ્રેનની તેની સ્પીડ અને આધુનિક ટેક્નોલોજીને લઇને સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરથી મુંબઇ વચ્ચે સૌથી આધુનિક ટ્રેન વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવાવી હતી. આ ટ્રેનની તેની સ્પીડ અને આધુનિક ટેક્નોલોજીને લઇને સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેની સાથે સાથે આ ટ્રેન તેના અકસ્માતને લઇને પણ ચર્ચામાં છે. વંદે ભારત ટ્રેન સાથે અત્યાર સુધીમાં પશુ સાથે ટકરાવાની અનેક ઘટના બની ચૂકી છે.
ગુરુવારે જ્યારે વંદે ભારત ટ્રેન સંજાણ ઉદવડા રેવલે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઇ હતી. ટ્રેનનો પશુ સાથે અક્સમાત થતા ટ્રેનનો અટકાવવામાં આવી હતી. ત્યાર બાદ 20 મીનીટ પછી ટ્રેને આગળના સ્ટેશન માટે રવાના કરવામાં આવી હતી. ગાય અથડાવાની કારમે વંદે ભારત ટ્રેનને વધારે નુક્સાન નહોતુ થયુ તેની સામાન્ય મરામત કરીને વંદે ભારત એક્સપ્રેસને રવાના કરવામાં આવી હતી.
અકસ્માતને કારણએ ફરીથી ટ્રેન ચર્ચામાં આવી છે. ટ્રેનની તેની ગતી અને સૌથી આધુનિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો અત્યાર સુધીમાં 6 વખત પશુ સાથે ટકરાવાની ઘટના બની ચૂકી છે. ટ્રેન શરુ થયાના 9 જ દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા હતા. ત્યાર બાદ અકસ્માતનો સિલસિલો યથાવત હહ્યો છે. આ ટ્રેનનો અકસમાત સૌથી વધારે પશુઓ સાથે થયા છે. તેને લઇને પશુઓના માલિકો સામે ફરિયાદ પણ નોધવામાં આવી છે. રેલવે પ્રશાસને અકસ્મા્ત રોકવા માટેની પણ વાત કરી હતી.