કેજરીવાલે 3 જીવિતા RTI કાર્યકર્તાઓને આપી દિધી શ્રદ્ધાંજલિ
અમદાવાદ, 10 માર્ચ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અહીં પોતાની રેલીમાં ચાર આરટીઆઇ કાર્યકર્તાઓને શ્રદ્ધાંજલિ આપી દિધી હતી જ્યારે તેમાંથી 3 જીવિત છે. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે સમાજના હિત માટે શહીદ થનાર અમિત જેઠવા, ભાનૂ દેવાની, જયસુખ ભમભાનિયા અને મનીષા ગૌસ્વામીનું નામ લીધું.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું હતું કે સૌથી પહેલાં આ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું જેમણે ગત 10 વર્ષોમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડતાં પોતાના પ્રાણ ત્યાગ કરી દિધા. તેમણે આ બધાને શ્રદ્ધાંજલિ આપી હતી. ચાર દિવસના પ્રવાસ બાદ અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો અને એક રેલીને સંબોધિત કરી.
તેમણે જે ચાર લોકોના નામ લીધા તેમાંથી ફક્ત અમિત જેઠવાનું મોત થયું છે. અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ ગુજરાત હાઇકોર્ટની સામે કથિત રીતે ખનન માફિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પરંતુ અન્ય ત્રણ જીવિત છે. પોરબંદર જિલ્લાના એક વકીલ ભાનૂ દેવાની (64)એ કહ્યું હતું કે મારી પર ત્રણ વર્ષ પહેલાં હુમલો થયો હતો પરંતુ હવે મારી તબિયત સારી છે અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મારી લડાઇ ચાલુ છે.

ભાનૂ દેવાનીએ કહ્યું હતું કે હું જલદી જ આપમાં જોડાવવા જઇ રહી છું. અરવિંદ કેજરીવાલ જેવા આરટીઆઇ કાર્યકર્તાઓ સારું નેતૃત્વ આપી શકે છે. પોરબંદરમાં ભાનૂ દેવાનીને 25 જુલાઇ 2011ના રોજ પાંચ છ લોકોએ કારથી બહાર કાઢીને પેટમાં ચાકુ મારી દિધું હતું પરંતુ તે બચી ગઇ હતી.
જયસુખ ભમભાનિયા (42)એ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે 24 ઓગષ્ટના રોજ 2011ના રોજ હુમલામાં હું જીવતો બચી ગયો. મારા દ્વારા એક રેસ્ટોરન્ટના નિર્માણ અને આરટીઆઇ દ્વરા બાઇક વેન્ડરોને નકલી લાયસન્સ આપવા સંબંધી આરટીઆઇ અરજી દાખલ કરવામાં આવતાં નિષ્ફળ એસિડ હુમલા બાદ તલવાર અને પાઇપો વડે હુમલો થયો. મનીષા ગૌસ્વામી પર 21 સપ્ટેમ્બર 2011ના રોજ હુમલો થયો હતો કારણ કે તેમને એક ખાનગી ફાર્મ દ્વારા પર્યાવરણ મંજૂરી લેવા સંબંધિત જાણકારી માટે અરજી કરી હતી.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
