કેજરીવાલે સુરતમાં સરકારી કર્મચારીઓને આપને મતદાન કરવા કરી અપિલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. ત્રણેય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનુ જોર લગાવી રહી છે. ત્રણેય પક્ષો દ્વારા એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં ભવ્ય રોડ શો કરવાના છે તે પહાલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપરથી ચાલી રહ્લા મતાદાનમાં આપને મત આપવા માટે અપિલ કરી હતી.
અરવિંદ કેજરીવાલે ભાજપ પર સવાલ ઉઠાવતા જણાવ્યુ હતુ કે, ભાજપ આટલી બધી ડરી કેમ ગઇ છે. સડક પર નીકળીને તમે કોઇને પણ પુછશો તો કે તમે આપને વોટ આપશો કે બીજેપીને તે અને તેનો પરીવાર ઝાડુને મત આપવાની વાત કરશે. ગાંધીનગરમાં એક નજારો જોવા મળ્યો હતો કે, જ્યાં કર્મચારીઓએ સચિવાલયનો ઘેરાવો કરી લીધો હતો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, સરકારી કર્મચારીઓને માાંગણી પેન્શન સ્કીમ લાગુ કરવા માટે હતી. અમે સરકારમાં આવીશુ તો અમે ઓલ્ડ પેન્શન સ્કિમ લાગુ કરીશુ. દરેક કર્મચારીઓમાં પ્રશ્ન છે આ બધાને હુ આશ્વાશન આપવા માગુ છુ કે, તેઓની સમસ્યા હલ કરવામા આવશે.
અરવિદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે, જે રાજ્યમાં સરકારી કર્મચારીઓ જે પાર્ટી તરફ હોય છે તેની સરકાર બને છે. હાલમાં પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન ચાલુ રહ્યુ છે. તેમાં એક એક વોટ આમ આદમી પાર્ટીને મળવો જોઇેએ. તેવી અપિલ તેમના દ્વારા કરવામાંઆવી હતી.