અશોક ગેહલોત Vs દિનેશ બાંભણીયા, કોણે શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાસ અને કોંગ્રેસ વચ્ચે પણ થયું ભંગાણ? જાણો સુરતના વારછાની ઘટના પછી બન્ને પક્ષના નેતાઓએ એક બીજા અંગે શું કહ્યું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રવિવારે કોંગ્રેસે 77 ઉમેદવારોના નામ જાહેર કરતા જ રવિવાર સાંજ સુધી એક બીજાને લઇને સકારાત્મક રહેલા પાસ અને કોંગ્રેસ વચ્ચે અચાનક જ દૂરી સર્જાઇ છે. સુરતના વારછામાં પાસના નેતાને ટિકિટ ના મળવાથી પાટીદારોએ કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી છે. જેના કારણે આગમાં ઘી હોમવા જેવી સ્થિતિ ઊભી થઇ છે. ઉલ્લેખનીય છે કે આ વાત બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે આ ઘટનાને વખોડી છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલ અને તેમના કાર્યકર્તાઓએ ધીરજ રાખવી જોઇએ. આવી વસ્તુઓનો અંત ચર્ચા દ્વારા પણ આવી શકે છે. સાથે જ તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ પોતાના કામ પર ધ્યાન રાખવાની સલાહ આપી છે.
I condemn this violence, Hardik Patel and his workers should show patience,issues can be sorted out by talking. Also,Gujarat CM should worry about the fights over ticket distribution in his party and not comment on us: Ashok Gehlot,Congress pic.twitter.com/1dUdUMvPBh
— ANI (@ANI) November 20, 2017
બીજી તરફ પાસ નેતા દિનેશે આ અંગે જણાવ્યું કે જ્યારે તમે જવાબદારી લો છો તો તેને નિભાવી જાણો. કોંગ્રેસ એક સામાન્ય વાતે પણ અમને જવાબ આપવામાં વાર લગાવે છે તો પછી આવનારા સમયમાં કોંગ્રેસને સમર્થન આપવું કે નહીં તે અંગે અમારે વિચારવું પડશે. સાથે જ તેમણે પાસના બે નેતાઓ જેમને કોંગ્રેસે ટિકિટ આપી છે તેમને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રાહ જોવાની વાત કરી છે. હાર્દિક પટેલ આજે સાંજે પ્રેસ કોન્ફર્ન્સ કરીને પાસ અને કોંગ્રેસના વિવાદ અંગે મોટો ખુલાસો કરશે તેવી પણ જાણકારી મળી છે.
#WATCH: Miffed over ticket distribution, PAAS leader Dinesh Patel earlier today said will oppose Congress if our concerns are not addressed pic.twitter.com/ly7RQqIM8c
— ANI (@ANI) November 20, 2017