મોટરસાઇકલ ચલાવાથી પણ અન્ય સમાજને બળતરા, દલિતો પર હુમલા
ફરિયાદી જ્યારે ઠાકોરવાસમાંથી પસાર થતો હતો ત્યારે તે જ ગામના હિતેશ ઠાકોર, રોહિત ઠાકોર, રાહુલ ઠાકોર અને સંજય ઠાકોરે તેના પર હુમલો કર્યો હતો. તે સમયે ફરિયાદી તેની પુત્રી સાથે મોટરસાયકલ પર બેસીને પસાર થઇ રહ્યા હતા.
ખેડા જિલ્લાના એક ગામમાં બુધવારના રોજ અન્ય સમાજના લોકો સામે મોટરસાઇકલ પર સવારી કરવા બદલ 45 વર્ષીય અનુસૂચિત જાતિ (SC) સમુદાયના એક વ્યક્તિ પર ઠાકોર સમુદાયના ચાર સભ્યોએ હુમલો કર્યો હતો.

ખેડા તાલુકાના વડાલા ગામના રહેવાસી બિપિન વણકરે ખેડા ટાઉન પોલીસમાં કરેલી એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, ફરિયાદી જ્યારે ઠાકોરવાસમાંથી પસાર થતો હતો ત્યારે તે જ ગામના હિતેશ ઠાકોર, રોહિત ઠાકોર, રાહુલ ઠાકોર અને સંજય ઠાકોરે તેના પર હુમલો કર્યો હતો. તે સમયે ફરિયાદી તેની પુત્રી સાથે મોટરસાયકલ પર બેસીને પસાર થઇ રહ્યા હતા.
બિપિન વણકરે જણાવ્યું હતું કે, તે તેની પુત્રી સાથે બેંકમાંથી પરત ફરી રહ્યો હતો. જે દરમિયાન ફરિયાદી ઠાકોરવાસમાંથી એક આરોપી રોહિત ઠાકોરની પાનની દુકાન નજીકથી પસાર થયો, ત્યારે તેણે અન્ય ત્રણ વ્યક્તિઓને બોલાવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો.
જ્યારે તેઓ મોટેથી સંગીત વગાડતા હતા, ત્યારે વણકરને લાગ્યું કે, તેઓ સંગીતનો આનંદ માણી રહ્યા હશે, પરંતુ તેઓએ બિપિન વણકર પર બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેમની સામે મોટરસાઇકલ પર સવારી કરવા બદલ તેને અપશબ્દો અને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલવા લાગ્યા હતા.
બિપિન વણકર તેમની પાસે ગયો અને પૂછ્યું કે, શા માટે તેઓ તેમની સાથે દુર્વ્યવહાર કરે છે, જેનાથી તેઓ વધુ નારાજ થયા અને તેઓએ ફરીથી તેમની સાથે અપશબ્દો બોલ્યા અને જાતિ આધારિત અપશબ્દો બોલ્યા હતા.
કોઈપણ અથડામણને ટાળવા માટે, બિપિન વણકર તેના ઘરે પાછો ફર્યો, પરંતુ આરોપીઓ તેની પાછળ વણકરવાસ, ગામના એક એસસી સમુદાયના ઘેટ્ટો ખાતેના તેના ઘરે ગયા, અને તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
જ્યારે બિપિન વણકરની પુત્રી અને પત્નીએ તેને બચાવવા દરમિયાનગીરી કરી તો આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો. વણકર પરિવારે મદદ માટે બૂમો પાડતા અન્ય ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ આરોપી ત્યાંથી ભાગી ગયા હતા. નાસી જતા પહેલા તેઓએ વણકર પરિવારને ગંભીર પરિણામોની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, તેઓ વડાલા ગામમાં પણ ધાથલની ઘટનાનું પુનરાવર્તન કરશે.
ઉલ્લેખનીય છે કે, 7 નવેમ્બર, 2021નારોજ ખેડાના ધાથલ ગામમાં એક SC સમુદાયના 35 વર્ષીય વ્યક્તિ પ્રિતેશ મકવાણાની ખેતીની જમીનના વિવાદને લઈને ઠાકોર સમુદાયના ત્રણ સભ્યો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
ખેડા ટાઉન પોલીસે બુધવારના રોજ વડાલાની ઘટનામાં ઠાકોર સમાજના ચાર સભ્યો સામે એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમના આરોપો સાથે ઇજા પહોંચાડવા, ફોજદારી ધાકધમકી આપવા અને ઉશ્કેરવાની ફરિયાદ દાખલ કરી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
