કોંગ્રેસ આપશે 20 ટકાની આર્થિક અનામત: કોંગ્રેસ આવે છે!
અમદાવાદ ખાતે યોજવામાં આવેલા કોંગ્રેસ આવે છે કાર્યક્રમમાં ભરત સિંહ સોલંકીએ પાટીદારો માટે કરી 20 ટકા આર્થિક અનામતની જાહેરાત. જાણો કોંગ્રેસ આવે છે કાર્યક્રમની મહત્વની વિગતો અહીં.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે સોમવારે કોંગ્રેસ દ્વારા આયોજીત "કોંગ્રેસ આવે છે" સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને હવે ભાજપ પછી કોંગ્રેસ પણ કમર કસી લીધી છે. ત્યારે અમદાવાદ ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રભારી ગુરૂદાસ કામત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકર સિંહ વાધેલા સમેત તમામ મોટા કોંગ્રેસી નેતાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ સંમેલનમાં આગામી વિધાનસભામાં ચૂંટણી લડવા માટે ઇચ્છુક લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસ પોતાની શક્તિ અને એકતાનું પ્રદર્શન કરશે. ત્યારે ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પરથી ટિકિટના 1540થી વધુ દાવેદારો સમેત 3 હજારથી વધારે કાર્યકરો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. સાથે જ એકજ લક્ષ્ય નવસર્જન ગુજરાત 2017 ના નારા લગાવ્યા પણ લાગ્યા હતા.
કોંગ્રેસ આવે છે
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે આ એક ઐતિહાસિક મીટીંગ છે. ગુજરાતમાં કૉંગ્રેસ આવે છે ની એકજ વાત લઈને અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોના ઉત્સાહમાં ઘટાડો થયો નથી કે નિરાશ થયા નથી. 1500 માંથી 182ને ટિકિટ મળવાની છે. સાથે મળીને ચૂંટણી લાડીશું તો ગાંધીનગરની સરકાર કોંગ્રેસની જ હશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસમાં ભાજપ કરાવશે તોડફોડ
વધુમાં તેમણે કહ્યું કે ભાજપ કોંગ્રેસમાં તોડફોડ કરે તેવી શક્યતા છે પણ અહીંયા ઉપસ્થિત માંથી એક પણ નેતાને ભાજપ નહિ તોડી શકે એનો મને વિશ્વાસ છે, તેવું તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આપણે સૌથી પહેલા જઈને મતદાર યાદી ચકાસવાનું કામ કરવાનું છે. મતદાર યાદીમાં કોઈ રહી ના જાય અને ડિલેટ ના સિક્કા ના લાગી જાય તેનું ધ્યાન રાખવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું કે દિલ્હીથી 40 સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. સાથે જ યુવાઓ અને મહિલાઓને ટિકિટમાં પ્રાધાન્ય અપાશે. દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ મળે તેવી ભરતસિંહે હાઇકમાન્ડને રજુઆત કરી છે.
20 ટકા અનામત
સાથે જ ચૂંટણી ઢંઢેરામાં સ્થાનિક પ્રશ્નોને વાચા આપવામાં આવશે. જો કે પાટીદારોની અનામત મામલે ટિપ્પણી કરતા ભરત સિંહે કહ્યું કે કોંગ્રેસ સરકારમાં આવશે તો 20 ટકાની આર્થિક અનામત આપશે. જે બાજ કોંગ્રેસની બેઠકમાં જય સરદાર જય પટીદારના નારા લાગ્યા હતા. નોંધનીય ભાજપ સરકારે પણ આર્થિક અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો પણ કોર્ટે આ માંગ ફગાવી દીધી હતી. ત્યારે કોંગ્રેસ પણ વિધાનસભાની ચૂંટણી માટે પાટીદારો અને આદિવાસીઓને પોતાની તરફ કરવાનો પ્રયાસ કર્યો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
