4 વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ, નેતાઓ દોડી આવ્યા
ભાવનગર પાસે રસનાળ ગામમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કરાતા સમગ્ર પથંકમાં રોષની લાગણી ફેલાઇ ગઇ છે. વધુમાં ચૂંટણી ટાણે નેતાઓ પણ મૃતકના પરિવારને મળવા દોડી આવ્યા હતા.
ગઢડા તાલુકાના રસનાળ ગામે શ્રમજીવી પરિવાર પર ત્યારે આભ તૂટી પડ્યું જ્યારે તેમની ચાર વર્ષની માસૂમ બાળકીની ગુમ થયા બાદ સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી. શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે અને મંગળવારે સાંજે તે જ્યારે પોતાના ઘરની પાસે રમતી હતી ત્યારે કોઇ તેનું અપહરણ કરીને લઇ ગયું હતું. ગ્રામજનો દ્વારા ભારે શોધખોળ બાદ સવારે ગામથી દૂર આવેલા જંગલમાં છોકરી લાશ કાંટાળી બાવળ પાસેથી મળી આવ્યો. વધુમાં બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઇજા થઇ હોવાના કારણે પોલીસ અને ગ્રામજનોને કોઇએ બાળકી સાથે દુષ્કર્મ કરી તેને મારી નાંખી હોય તેમ જાળવા મળતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો હતો.

વધુમાં બાળકીની હત્યા પછી ચૂંટણી આવી રહી હોવાના કારણે એક પછી નેતાઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જેમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, રાજુભાઇ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર નિતાબેન રાઠોડ પણ આવી પહોંચતા વાતાવરણ ગરમાયું હતું. વધુમાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી જડપાય નહીં ત્યાં સુધી બાળકીની લાશ ન ઉપાડવાનું કહેતા પોલીસ તાજવીજ શરૂ કરી છે. ત્યારે નાના માસૂમ બાળકો સાથે બનતી આવી ઘટનાઓ ખરેખરમાં સમાજ માટે એક મોટા કલંક સમાન છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
