Bilkis Bano Case: ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી એફિડેવિટ, દોષિતોને મુક્ત કરવાનુ જણાવ્યુ કારણ
ગુજરાતમાં ગોધરા કાંડ બાદ 2002માં બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સામે એફિડેવિટ દાખલ કરી છે.
ગુજરાતમાં ગોધરા કાંડ બાદ 2002માં બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સામે એફિડેવિટ દાખલ કરી છે. આ મામલે ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યુ છે કે 11 દોષિતોએ જેલમાં 14 વર્ષની વર્ષની સજા પૂરી કરી લીધી હતી. તેમનો વ્યવહાર પણ સારો જોવા મળ્યો. ત્યારબાદ તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
બિલકિસ બાનોના ગુનેગારોને માફી (ક્ષમા)ના કેસમાં ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ મામલે થર્ડ પાર્ટી કેસ દાખલ કરી શકે નહીં. સુભાશિની અલીને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેમની અરજી રાજકીય રીતે પ્રેરિત છે, એક ષડયંત્ર છે. જો કે આ મામલે મંગળવારે ફરી સુનાવણી થશે. અરજદારો (સુભાશિની અલી, મહુઆ મોઇત્રા) દ્વારા અરજી દાખલ કરવા પર ગુજરાત સરકારે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે તેમના સોગંદનામામાં કહ્યુ હતુ કે કૃપા કરીને માફીને પડકારવુ એ જાહેર હિતની અરજીના અધિકારક્ષેત્રમાં આવતુ નથી. આ અધિકારોનો દુરુપયોગ છે. ગુજરાત સરકારે કહ્યુ છે કે બોર્ડમાં સામેલ તમામ વ્યક્તિઓના અભિપ્રાયના આધારે તમામ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારની એફિડેવિટમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારની મંજૂરી બાદ 10 ઓગસ્ટ 2022ના રોજ દોષિતોને મુક્ત કરવાના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતમાં, રાજ્ય સરકારે આ કોર્ટ દ્વારા નિર્દેશિત 1992ની નીતિ હેઠળના પ્રસ્તાવો પર પણ વિચાર કરવામાં આવ્યો છે. આ મુક્તિ નિયમો અનુસાર થયુ છે. અરજદારોનુ કહેવું ખોટુ છે કે આ લોકોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સજામાં માફી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તેની મુક્તિ નીતિ હેઠળ તેમને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. તેમણે જેલમાં 15 વર્ષથી વધુ સમય પૂરો કર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગ 3 માર્ચ 2002ના રોજ બિલકિસના પરિવાર સુધી પહોંચી હતી. 21 વર્ષીય બિલ્કિસના પરિવારમાં બિલકીસ અને તેની સાડા ત્રણ વર્ષની પુત્રી સહિત અન્ય 15 સભ્યો હતા. ચાર્જશીટ મુજબ, બિલકિસના પરિવાર પર તલવારો અને અન્ય હથિયારોથી સજ્જ 20-30 માણસોએ હુમલો કર્યો હતો. જેમાં દોષિત ઠેરવવામાં આવેલા 11 લોકોનો સમાવેશ થાય છે. તોફાનીઓએ બિલકિસ, તેની માતા અને પરિવારની અન્ય ત્રણ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો. તેઓએ એ બધાને નિર્દયતાથી માર્યા. હુમલામાં પરિવારના 17 સભ્યોમાંથી સાતના મોત થયા હતા. છ ગુમ થયા હતા. માત્ર ત્રણ જ જીવ બચ્યા હતા. તેમાં બિલકિસ, તેના પરિવારનો એક વ્યક્તિ અને ત્રણ વર્ષનો બાળક સામેલ હતો. ઘટના બાદ બિલકીસ લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેણે ફરિયાદ નોંધાવી હતી.