વડોદરા : 'વિશ્વ MSME ડે'ની ઉજવણીમાં સીઆર પાટીલ સાહેબ રહ્યા હાજર
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા MSME ડેની ઉજવણીમાં સહભાગ થયા હતા. વડોદરામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા MSME ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા તેમના દ્વારા વીસીસીઆઇ ના પોર્ટલનું પણ લૉચિંગ કર્યુ હતુ.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા MSME ડેની ઉજવણીમાં સહભાગ થયા હતા. વડોદરામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા MSME ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા તેમના દ્વારા વીસીસીઆઇ ના પોર્ટલનું પણ લૉચિંગ કર્યુ હતુ.
કેન્દ્ર સરકાર દ્વરા મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રીન્યોરને ખાસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. જેને લઇને એમએસએમઇ સાથે જોડાયેલા નાના વેપારી અને ધંધાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ લોન પણ આપવામાં આવે છે ધંધામાં આ લોકોને વધુ ફેલાવો કરવો હોય તો તેના માટે એમએસએમી તેમજ મુદ્રા લોન આપવામાં આવે છે
સી.આર.પાટિલ દ્વારા ભારત સરકાર દ્વારા યુવાનો માટે બહાર પાડવામાં આવેલ અગ્નીવીર યોજનાને લઇને બાહેધરી પણ આપી હતી. હાલ બિહાર સહિતના રાજ્યોમાં અગ્નીવીર યોજનાને લઇને વિરોધ થઇ રહ્યો છે. કેન્દ્ર સરકારની આ યોજનાનમાં વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ પણ સહભાગી થશે.
આ પ્રસંગે દેશની ઇકોનોમીને 5 ટ્રીલિયન સુધી લઇ જઇને મજબુત કરવાની વાત કાર્યક્રમાં કરવામાં આવી હતી. આ સાથે એસીસીઆઇ દ્વારા ભારતની ઇકોનોમીને મજબૂત કરવા માટે શપથ પણ લેવામાં આવ્યા હતા. તેમજ એસીસીઆઇનુ પોર્ટલ પણ લોંચ કરવામાં આવ્યું હતુ.