CBIનો દાવો : ઇશરત કેસ સાથે સંકળાયેલી ટેપ સાચી છે
નવી દિલ્હી, 16 ઓગસ્ટ : સીબીઆઇએ દાવો કર્યો છે કે ગુજરાતના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપીઓને બચાવવાના ઉપાયો માટે ગુજરાત સરકારના અધિકારીઓ વચ્ચેની કહેવાતી વાતચીત અંગેની જે ટેપ છે તે સાચી છે.
સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત પોલીસના આરોપી અધિકારીઓમાંથી એક અધિકારી દ્વારા આપવામાં આવેલી ટેપ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી અને પ્રથમ દ્રષ્ટિએ તે સાચી લાગે છે. આ બાબતને સમજવા માટે ટેપમાં જે લોકોના અવાજ હોવાનું કહેવાય છે તે એ જ લોકોના છે. આ મામલે અદાલતે દરમિયાનગીરી કરવાની જરૂર છે.

સીબીઆઇએ એમ પણ જણાવ્યું કે વાતચીતમાં જે લોકો છે તેઓ ગુજરાત સરકારના અધિકારીઓ છે. જેમની કેટલાક પ્રત્યક્ષદર્શીઓ અને આરોપીએએ પૂછપરછ દરમિયાન ઓળખ કરી હતી. તેમણે કહ્યું કે ટેપમાં જે લોકોના સંભવિત અવાજ છે તેમનો અવાજ મેચ કરી શકાય છે. જો કે અવાજના નમૂના માત્ર અદાલતની પરવાનગી બાદ જ મેળવી શકાય છે.
સૂત્રોએ જણાવ્યું કે જે લોકોના અવાજના નમૂના માટે અનુરોધ કરવામાં આવ્યો છે તેમની સહમતિ આપવા પણ જરૂરી છે. જો કે તેમણે એવો દાવો પણ કર્યો છે કે ટેપ અદાલતમાં કાયદાકીય રીતે સ્વીકાર્ય નમૂનો છે. આ વાતચીત મોટા ભાગે એસઆઇટી તપાસ અને ત્યાર બાદની યોજના સંબંધિત છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
