‘નિલોફર’ના ખતરાને પહોંચી વળવા ગુજરાતે ઉઠાવ્યા આ પગલા
ગાંધીનગર, 29 ઓક્ટોબરઃ અરબી સમુદ્રમાં ઉભી થયેલ નિલોફર વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ ડો.વરેશ સિન્હાએ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ અધિકારીઓ અને જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ સાથે ગતકાલે વીડીયો કોન્ફરન્સ કરીને વાવાઝોડાના કારણે ઉભી થનારી સંભવીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્રને આવશ્યક સુચના આપીને જિલ્લા કલેકટર તરફથી કરવામાં આવેલી તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ મહેસુલ, રાહત કમિશનર, અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ, સચિવ માર્ગ અને મકાન, અન્ન નાગરિક પુરવઠ, પાણી પુરવઠા, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બંદર અને વાહન વ્યવહાર વગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વાવાઝોડા
સંદર્ભે
ખાસ
વ્યવસ્થા
વાવાઝોડાની
તીવ્રતાના
કારણે
રસ્તા
પર
ધરાશાયી
થતાં
વૃક્ષો
દુર
કરવા
જરૂરી
બુલડોઝર
અને
કટર
મશીનોની
વ્યવસ્થા
કરવા
તેમણે
સુચનાઓ
આપી
હતી.
આ
ઉપરાંત
જિલ્લા
પોલીસ,
SRP,
Cost
Guard,
Air
Force,
Army
વગેરે
સાથે
યોગ્ય
સંકલન
સાધવા
પણ
તેમણે
સુચનાઓ
આપી
હતી.
બધા
માછીમારો
પરત
ફરી
જાય
તેની
તકેદારી
રાખવા
વહીવટી
તંત્રને
વધુ
સજ્જતા
દાખવવા
સુચનાઓ
આપી
હતી.
જિલ્લામાં
આવેલા
મોટા
ઔધ્યોગિક
એકમો,
પાવર
પ્લાન્ટ
અને
બંદરો
પોતાના
ઓન
સાઈટ
અને
ઓફ
સાઈટ
પ્લાન
પ્રમાણે
કાર્યવાહી
થાય
અને
નિયમન
કરી
કારીગરોની
હેરફેર
નિયંત્રિત
થાય
તે
જોવા
પણ
જણાવ્યું
હતુ.
તેમણે કહ્યું કે, કાંઠાના વિસ્તારોમાં યાત્રાના સ્થળોએ આ દિવસોમાં લોકો મુસાફરી ન કરે તે પ્રમાણે તેઓને સમજાવટથી પરત મોકલવા જણાવવું અને લોકલ ટીવી ચેનલોમાં વાવાઝોડા સંદર્ભમાં શું કરવું અને શું ન કરવું તેની સમજણ સતત આપતા રહેવાનુ માર્ગદર્શન આપવાની જરુરીયાત રહે છે. રાજ્ય સરકારે નિલોફર વાવાઝોડાના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્રને મીઠાના અગરોમાં કામ કરતાં અગરિયાઓને સલામત જ્ગ્યાએ ખસેડવા અને સોલ્ટ પ્લાન્ટ વર્ક્સ બંધ કરવા સુચનાઓ આપી હતી.
જરૂરી
ચીજવસ્તુઓ
પૂરી
પાડવા
ગોઠવાઇ
વ્યવસ્થા
મુખ્ય
સચિવએ
જણાવ્યું
હતું
કે,
અન્ન
અને
નાગરિક
પૂરવાઠા
વિભાગ
તરફથી
અનાજ,
કેરોસીન
અને
જીવન
જરૂરીયાતની
અન્ય
તમામ
ચીજ
વસ્તુઓ
પૂરી
પાડવાની
વ્યવસ્થા
ગોઠવવામાં
આવી
છે.
તમામ
પેટ્રોલપંપ
ઉપર
પેટ્રોલ
અને
ડીઝલનો
પૂરતો
જથ્થો
ઉપલબ્ધ
કરવામાં
આવેલ
છે
અને
કચ્છ
જિલ્લામાં
ડીઝલના
ચાર
ટેંકર
આ
ઉપરાંત
અનામત
જથ્થા
તરીકે
ઉપલબ્ધ
કરવામાં
આવેલ
છે
આ
ઉપરાંત
દરેક
તાલુકામાં
૨૦૦
મેટ્ર્રીક
ટન
જેટલો
જીવન
જરૂરીયાત
ચીજ
વસ્તુઓનો
જથ્થો
ઉપલબ્ધ
રહે
તેવી
વ્યવસ્થા
કરવામાં
આવી
છે
એમ
તેમણે
ઉમેર્યું
હતુ.
આરોગ્ય
વિભાગની
આવી
છે
તૈયારીઓ
આરોગ્ય
વિભાગ
તરફથી
તમામ
પ્રાથમિક
હેલ્થ
સેન્ટર્સ,
કમ્યુનિટિ
હેલ્થ
સેન્ટર્સ,
સબ
સેન્ટર્સ
અને
હોસ્પીટલોમાં
દવાઓનો
પૂરતો
જથ્થો
અને
રોગચાળા
પ્રતિબંધક
દવાઓ
પૂરતા
પ્રમાણમાં
ઉપલબ્ધ
કરેલ
છે.
આ
ઉપરાંત
૧૦૮ની
સેવાઓ
વધુ
ઘનિષ્ઠ
કરવામાં
આવેલ
છે
અને
કચ્છ
જિલ્લામાં
એમ્બ્યુલંસની
વધુ
સેવાઓ
ઉપલબ્ધ
કરવામાં
આવી
છે.
આરોગ્ય
તંત્ર
તરફથી
ક્લોરીનની
ટીકડીઓ,
આશ્રય
સ્થાનો
માટે
દવાનો
જથ્થો
અને
ડીલીવરીના
સમયા
માંથી
પસાર
થતી
ગર્ભવતી
મહિલાઓના
કેસોનો
ટ્રેકીંગ
કરીને
ઓગ્ઝીલરી
નર્સ
મીડ-વાઈફ
ડીલીવરીની
જવાબદારી
સંભાળે
તેવુ
આયોજન
કરવામાં
આવેલ
છે.
વાહન
વ્યવહાર
વિભાગે
સ્થળાંતર
માટે
કાંઠાના
વિસ્તારોમાં
એસટી
બસોની
પૂરતી
વ્યવસ્થા
કરેલી
છે.
મુખ્ય સચિવ વરેશ સિંહાએ કહ્યું કે, NDRFની ૨ ટીમો ભુજ, ૧ ગાંધીધામ,૧ ગીર સોમનાથ(વેરાવળ), ૧ દેવભુમિ દ્વારકા, ૧ રાજકોટ અને ૧મોરબી મોકલવામાંઆવી છે. તેની સાથે સાથે હેમ રેડિયોની ટીમ નલિયા,ભુજ અને ગાંધીધામ ખાતે કાર્યરત કરાઈ છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ તરફથી કચ્છ જિલ્લામાં ટેન્કરોની પુરતી વ્યવસ્થા કરાઈ છે અને ખાનગી ટેન્કર, ૫૦૦૦ લિટરની PVC ટાંકીઓ તથા વીજળી ખોરવાઈ જવાનાસંજોગો ઉપસ્થિત થાય તો પાણી પુરવઠાના ટેન્કર ફીલીંગ પોઈન્ટ ઉપર ડીઝલ જનરેટર સેટ ઉપલબ્ધ કરાયા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ડી
વોટરીંગ
પમ્પ
ઉપલબ્ધ
રખાયા
આ
ઉપરાંત
વાવાઝોડાથી
પાણી
ભરાઈ
જાય
તેવા
સંજોગોમાં
૪૬
જેટલા
ડી
વોટરીંગ
પમ્પ
ઉપલબ્ધ
રખાયા
છે.
જેમાંથી
૨૭
પમ્પ
કચ્છ
જિલ્લામાં
ઉપલબ્ધ
કરાયા
છે.
પીવાના
પાણીના
પુરવઠા
માટે
પુરતી
વ્યવસ્થા
ઉપલબ્ધ
કરાવાઈ
છે.વન
વિભાગ
તરફથી
રહેણાંક
અને
કોર્મશિયલ
વિસ્તારમાં
આવેલા
મોટા
ઝાડ
ધરાશયી
થતાં
અટકાવવા
માટે
અગાઉથી
પુરતી
કાળજી
લેવાની
વ્યવસ્થા
કરાઈ
છે.
જેને
માટે
RFOની
આગેવાની
હેઠળ
રીસપોન્સ
ટીમોની
રચના
કરાઈ
છે
એમ
તેમણે
ઉમેર્યું
હતું.