ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ સામે કોંગ્રેસ ના એક દિવસ ના ધરણા યોજાયા
ભાજપ સરકાર ની દલિત વિરોધી નીતિનો વિરોધ કરવા માટે કોંગેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે અને તેના ભાગ રૂપે દિલ્હી સહિત સમગ્ર દેશમાં એક દિવસના ધરણા કરવામાં આવી રહ્યા છે.
ભાજપ સરકાર ની દલિત વિરોધી નીતિનો વિરોધ કરવા માટે કોંગેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે અને તેના ભાગ રૂપે દિલ્હી સહિત સમગ્ર દેશમાં એક દિવસ ના ધરણા કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાત માં પણ ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે ત્યારથી કોંગ્રેસ માં એક ડીસીપ્લીન જોવા મળી રહી છે અને 2019 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી રહી છે.

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ દ્વારા એક દિવસના ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે કોગ્રેસ ચીફ અમિત ચવડાની અગેવાની માં ધરણા યોજાયા હતા અને.જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોએ ભાગ લીધો હતો. જોકે રાજકોટમાં કોંગ્રેસની આંતરિક જૂથ બંદી બહાર આવી હતી અને કોંગ્રેસ ના કાર્યકરો ની પાંખી હાજરી જોવા મળી હતી.
આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ ખૂબ મજબૂત છે અને ગુજરાત થી જ ભાજપ મોડલ નો પર્દાફાશ કરશે.












Click it and Unblock the Notifications
