150માંથી એકડો જ્યારે નીકળી જશે ત્યારે ભાજપને ખબર પડશે
અમિત શાહના નિવેદન અંગે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા વિગવતાર વાંચો અહીં.
બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશ સમેત ચાર રાજ્યોમાં ભાજપની જીત પછી પહેલી વાર ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ ખાતે એક તેમના સત્કાર અને આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહે કોંગ્રેસ તરફી જે અક્ષેપો કર્યા હતા તે અંગે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી હતી.

આ અંગે બોલતા ભરતસિંહે જણાવ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને બફાટ કરવાની ટેવ છે. અમિત શાહ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે અમિત શાહ નરેન્દ્ર મોદીની છત્રછાયામાં આશીર્વાદ પામીને જેલમાંથી બનેલા રાષ્ટ્રીય અધ્યક્ષ "કોંગ્રેસ આવે છે" તેવા ગુજરાતની પ્રજાના અવાજથી ડઘાઈ ગયા છે.
રાહુલ ગાંધી
અમિત શાહના રાહુલ બાબાએ ઇટાલિયન ચશ્મા પહેર્યા છે તેવી ટિપ્પણી પર ભરત સિંહે કહ્યું કે રાહુલ ગાંધી જેવા પ્રજા માટે સંઘર્ષ કરતા નેતા ભાજપમાં કોઈ નથી. મોદી સરકારમાં 153થી વધારે સૈનિકો શાહિદ થયા, 12થી વધુ અધિકારીઓ શાહિદ થયા અને 790થી વધારે વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું
નવેમ્બર ચૂંટણી
ભરત સિંહે કહ્યું કે અમિત શાહ નવેમ્બરમાં ચૂંટણીનો સંકેત આપે છે એટલે હજુ કઈ તોડફોડ અને ગોઠવણ કરી ચૂંટણી જીતવાના સપના જોઈ રહ્યા છે. 150માંથી એકડો એમનો નીકળી જશે ત્યારે ગુજરાયની પ્રજાના તેવરનો ભાજપને ખ્યાલ આવશે.
રૂપાણી પર કટાક્ષ
મોદી-શાહની રંગ-બિલ્લાની જોડીને ગાંધી-સરદાર સાથે સરખાવી દેશના રાષ્ટ્રપિતા અને લોખંડી પુરુષ સરદારનું અપમાન બરાબર છે રૂપાણીની બુદ્ધિ બેર મારી ગઈ હોય એમ લાગે છે. આ નિવેદન મુદ્દે રૂપાણીયે માફી માંગવી જોઈએ અને રાજીનામુ આપવું જોઈએ.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
