કોંગ્રેસના "ચાણક્ય", અહેમદ પટેલનો આજે છે જન્મ દિવસ
સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનો આજે છે જન્મદિવસ. તેમના જન્મદિવસ પર જાણો તેમના અંગે કેટલીક રસપ્રદ જાણકારી. વધુ વાંચો અહીં.
ગુજરાત કોંગ્રેસના સંસદ સભ્ય અહેમદ પટેલનો આજે 67 જન્મ દિવસ છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે હાલમાં ભારે ઊથલપાથલ બાદ રાજ્યસભાની ચૂંટણી જીતી છે. આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તે કોંગ્રેસના દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના 43 ધારાસભ્યો સાથે મળશે. અને ગુજરાત કોંગ્રેસની આગળની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરશે. મૂળ ભરૂચના તેવા પટેલ ગુજરાત લોકસભામાંથી 3 વાર ચૂંટાઇને આવી ચૂક્યા છે અને રાજ્યસભામાં આ વખતે 5મી વાર ચૂંટાયા છે. એટલું જ નહીં તે અત્યાર સુધીના એક માત્ર મુસ્લિમ નેતા છે જેમણે સંસદ સભ્ય તરીકેનું પદ ગત 5 વખતથી સાચવી રાખ્યું છે.

એટલું જ નહીં અહેમદ પટેલ સોનિયાજીના રાજકીય સલાહકાર પણ છે. ત્યારે ગુજરાત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત અને હારની સંભાવના નક્કી કરવામાં અહેમદ પટેલ હાલ મહત્વનો ભાગ ભજવશે. વધુમાં રાજ્યસભાની ચૂંટણીની જીત બાદ જ તેમણે કહ્યું હતું કે મને જીતાડનાર તમાર ધારાસભ્યાને આવનારી ચૂંટણીમાં જીતની જવાબદારી હું લઇ રહ્યો છું. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે બે વોટ ચૂંટણી પંચ દ્વારા નાબૂદ કરાવ્યા હતા. તેની વિરુદ્ધ ભાજપ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અને તે અંગે પણ આજે સુનવણી થવાની સંભાવના છે. ત્યારે અહેમદ પટેલને વનઇન્ડિયા તેમના જન્મ દિવસે શુભકામના પાઠવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
