કોંગ્રેસ મતોનું રાજકારણ ખેલે છે : નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ફાગવેલની જાહેર સભામાં જણાવ્યું કે વર્ષો પહેલાનું મીડિયા આજ જેવું ન હતું. આજે મીડિયાને ચટપટા સમાચારોમાં વધારે રસ પડે છે અને એટલે જ હવે લોકો પણ ચટપટા સમાચાર ના હોય તો ન્યૂઝ ચેનલ બદલી નાંખે છે. સત્ય બદલાઇ ગયું છે.
તેમણે જણાવ્યું કે ભાથીજી મહારાજે ગાયની રક્ષા માટે બલિદાન આપ્યું. ગૌરક્ષા માટે ભારતમાં વિનોબા ભાવે ઉપવાસ કર્યા, બંધારણમાં ઉલ્લેખ કરાયો છે, સુપ્રીમ કોર્ટે ગૌવધ બંધ કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં દિલ્હીની સરકારના પેટનું પાણી હાલતું નથી. કારણ કે તેઓ વોટ બેંકનું રાજકારણ રમે છે. આ કારણે ગાયોના વધ થાય છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે "મારે ફાગવેલના લોકોને પૂછવું છે કે કોંગ્રેસવાળા 5 વર્ષ પહેલા ભાથીજી મહારાજને મોટા ઉપાડે લેવા આવ્યા હતા. ચૂંટણી પૂરી તઇ પછી કશું જ કર્યું નહીં. આ તેનો રાજકીય દૂરઉપયોગ કહેવાય કે નહીં? દિલ્હીમાં તેમણે 60 વર્ષ સત્તા ભોગવી ત્યારે ભાથીજી મહારાજ કેમ યાદ ના આવ્યા? પાંચ વર્ષ સુધી તેમણે કેમ ડોકિયું પણ ના કર્યું? ભાથીજી મહારાજ સાથે છેતરપિંડી કરી છે. તે માટે મહારાજ માફ નહીં કરે. કાવાદાવા કરનારને મહારાજે સજા આપી છે."
ભાથીજી મહારાજને મળવા હું પણ આવ્યો હતો. તેમના આશીર્વાદ મને મળ્યા હતા. આજે હું તેને રિન્યુ કરાવવા આવ્યો છું. હું આ પછી પણ અહીં આવતો રહીશે. કોઇ પણ પ્રસંગ વિના અહીં આવીશ.
મોદીએ જણાવ્યું કે આણંદ અને ખેડાની ધરતીએ દેશમાં દૂધની શ્વેતક્રાંતિ કરી હતી, અહીં હળિયાળી ક્રાંતિ પણ થઇ હતી. કોંગ્રેસને પશુપાલકોની પડી નથી. સરકાર માંગ્યા વગર આપે છે.