મોંઘવારી, જિજ્ઞેશ મેવાણીની ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા-આંદોલન
વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કરશે.
અમદાવાદઃ વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કથિત રીતે પીએમ વિરુદ્ધ કરેલ ટ્વિટના આરોપસર આસામ પોલિસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ આજે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં 'લોકશાહી બચાવો સંવિધાન બચાવો' હેઠળ આંદોલન, ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવશે.

'લોકશાહી બચાવો સંવિધાન બચાવો'ના નારા સાથે કોંગ્રેસ રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરુ કર્યા છે જેના અનુસંધાને આજે ધરણા યોજાશે.
વધતી મોંઘવારીના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન યોજાશે. અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી પદયાત્રા શરુ થશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં રોજ બેથી 3 વૉર્ડમાં પદયાત્રા યોજાશે. જે 3 કિમીની હશે. આજે ચાંદખેડા વૉર્ડથી આ યાત્રાની શરુઆત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરાવશે. જેમાં ધારાસભ્યો, કૉર્પોરેરટ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
