મોંઘવારી, જિજ્ઞેશ મેવાણીની ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસના રાજ્યવ્યાપી ધરણા-આંદોલન
વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કરશે.
અમદાવાદઃ વધતી જતી મોંઘવારી તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કથિત રીતે પીએમ વિરુદ્ધ કરેલ ટ્વિટના આરોપસર આસામ પોલિસ દ્વારા કરવામાં આવેલ ધરપકડ જેવા વિવિધ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ આજે 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકા વિસ્તારમાં 'લોકશાહી બચાવો સંવિધાન બચાવો' હેઠળ આંદોલન, ધરણા અને પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવશે.

'લોકશાહી બચાવો સંવિધાન બચાવો'ના નારા સાથે કોંગ્રેસ રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજશે. રાજ્યના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરુ કર્યા છે જેના અનુસંધાને આજે ધરણા યોજાશે.
વધતી મોંઘવારીના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન યોજાશે. અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી પદયાત્રા શરુ થશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં રોજ બેથી 3 વૉર્ડમાં પદયાત્રા યોજાશે. જે 3 કિમીની હશે. આજે ચાંદખેડા વૉર્ડથી આ યાત્રાની શરુઆત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરાવશે. જેમાં ધારાસભ્યો, કૉર્પોરેરટ, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
