પ્રદીપસિંહજી જાડેજાએ શક્તિસિંહ ગોહિલ પર કર્યો વળતો પ્રહાર

જે આવનારા સમયમાં ઘણા જ મહત્વના બંધારણીય અને કાયદાના પ્રશ્નો ઉપસ્થિત કરી શકે એમ છે જેથી આ સંજોગોમાં આખી આ બાબત સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચ સમક્ષ રજૂ થાય જેથી ભવિષ્યમાં પણ આ વિષય સંબંધે કોઇ સંદિગ્ધતા રહે નહીં અને લોકાયુક્તની નિમણૂંકમાં અને તેમની કાર્યવાહી બાબતે તમામ બંધારણીય સત્તાઓ વચ્ચે અને તેમના અધિકારો બાબતે એકસૂત્રતા જળવાઇ રહેવી જોઇએ તેવો દૂરંદર્શી આશય ગુજરાત સરકારનો રહ્યો છે.
આ સંદર્ભમાં શક્તિસિંહ ગોહિલે આ સમગ્ર બાબત સર્વોચ્ચ અદાલતમાં રીવ્યુ પીટીશનથી ન્યાયધિન છે (સબજયુડીસ) તેમ છતાં ચૂંટણીમાં જનતાએ આપેલી નાલેશીભરી હારથી હતાશ બનીને તેમની જૂઠાણાની આદતી પરંપરા પ્રમાણે રાજકીય આક્ષેપબાજી કરી છે. શક્તિસિંહ ગોહિલનું નિવેદન હકીકતમાં નામદાર સર્વોચ્ચ અદાલતની અવગણના કરતું રાજકીય નિવેદન છે, એમ પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.
પ્રદીપસિંહજી જાડેજાએ લોકાયુક્તની નિમણૂંક બાબતે બંધારણની જોગવાઇઓ પ્રમાણે અને કાયદાની જોગવાઇઓ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી તે રાજ્ય સરકારે કરીને જરૂરી પગલાં લીધાં છે તેની ભૂમિકાથી સૌ કોઇ વિદીત છે એનો નિર્દેશ કરી જણાવ્યું કે, ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અંગેના અદાલતી ચૂકાદામાં એકંદરે રાજ્યની વડી અદાલતના કુલ ત્રણ નામદાર ન્યાયાધીશો તેમજ સર્વોચ્ચ અદાલતની બે વિભિન્ન બેચના જેમાં ગુજરાતના લોકાયુક્ત અંગે બે નામદાર ન્યાયાધીશો અને કર્ણાટકમાં લોકાયુક્તની બેન્ચના બે નામદાર ન્યાયાધીશો મળી કુલ સાત નામદાર ન્યાયમૂર્તિશ્રીઓએ અલગ મતમતાંતર કાયદાની અને બંધારણીય જોગવાઇ વિશે ઉભા થયેલા છે.
આ સંદર્ભમાં ગુજરાત સરકારની રીવ્યુ પીટીશન ભવિષ્યમાં પણ કોઇ સંદિગ્ધતા રહે નહીં તે દિશામાં ન્યાયિક માર્ગદર્શક બની રહેવાની છે ત્યારે શ્રી શક્તિસિંહ ગોહિલ જેઓ પોતાને કાયદાવિદ્ માને છે તેમણે ન્યાયાધીન વિષય અંગે રાજકીય આક્ષેપબાજી કરીને પોતાનું અજ્ઞાન ખુલ્લું પાડ્યું છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
