પ્રદીપસિંહજી જાડેજાએ શક્તિસિંહ ગોહિલ પર કર્યો વળતો પ્રહાર

જે આવનારા સમયમાં ઘણા જ મહત્વના બંધારણીય અને કાયદાના પ્રશ્નો ઉપસ્થિત કરી શકે એમ છે જેથી આ સંજોગોમાં આખી આ બાબત સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચ સમક્ષ રજૂ થાય જેથી ભવિષ્યમાં પણ આ વિષય સંબંધે કોઇ સંદિગ્ધતા રહે નહીં અને લોકાયુક્તની નિમણૂંકમાં અને તેમની કાર્યવાહી બાબતે તમામ બંધારણીય સત્તાઓ વચ્ચે અને તેમના અધિકારો બાબતે એકસૂત્રતા જળવાઇ રહેવી જોઇએ તેવો દૂરંદર્શી આશય ગુજરાત સરકારનો રહ્યો છે.
આ સંદર્ભમાં શક્તિસિંહ ગોહિલે આ સમગ્ર બાબત સર્વોચ્ચ અદાલતમાં રીવ્યુ પીટીશનથી ન્યાયધિન છે (સબજયુડીસ) તેમ છતાં ચૂંટણીમાં જનતાએ આપેલી નાલેશીભરી હારથી હતાશ બનીને તેમની જૂઠાણાની આદતી પરંપરા પ્રમાણે રાજકીય આક્ષેપબાજી કરી છે. શક્તિસિંહ ગોહિલનું નિવેદન હકીકતમાં નામદાર સર્વોચ્ચ અદાલતની અવગણના કરતું રાજકીય નિવેદન છે, એમ પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.
પ્રદીપસિંહજી જાડેજાએ લોકાયુક્તની નિમણૂંક બાબતે બંધારણની જોગવાઇઓ પ્રમાણે અને કાયદાની જોગવાઇઓ અનુસાર જે કાર્યવાહી કરવાની હતી તે રાજ્ય સરકારે કરીને જરૂરી પગલાં લીધાં છે તેની ભૂમિકાથી સૌ કોઇ વિદીત છે એનો નિર્દેશ કરી જણાવ્યું કે, ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અંગેના અદાલતી ચૂકાદામાં એકંદરે રાજ્યની વડી અદાલતના કુલ ત્રણ નામદાર ન્યાયાધીશો તેમજ સર્વોચ્ચ અદાલતની બે વિભિન્ન બેચના જેમાં ગુજરાતના લોકાયુક્ત અંગે બે નામદાર ન્યાયાધીશો અને કર્ણાટકમાં લોકાયુક્તની બેન્ચના બે નામદાર ન્યાયાધીશો મળી કુલ સાત નામદાર ન્યાયમૂર્તિશ્રીઓએ અલગ મતમતાંતર કાયદાની અને બંધારણીય જોગવાઇ વિશે ઉભા થયેલા છે.
આ સંદર્ભમાં ગુજરાત સરકારની રીવ્યુ પીટીશન ભવિષ્યમાં પણ કોઇ સંદિગ્ધતા રહે નહીં તે દિશામાં ન્યાયિક માર્ગદર્શક બની રહેવાની છે ત્યારે શ્રી શક્તિસિંહ ગોહિલ જેઓ પોતાને કાયદાવિદ્ માને છે તેમણે ન્યાયાધીન વિષય અંગે રાજકીય આક્ષેપબાજી કરીને પોતાનું અજ્ઞાન ખુલ્લું પાડ્યું છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
