રાહુલ ગાંધી પહોંચ્યા પોરબંદર, કિર્તી મંદિર અને શ્રીનાથજી હવેલીના કર્યા દર્શન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના છેલ્લા ચૂંટણી પડાવ અંતર્ગત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોરબંદર આવી પહોંચ્યા હતા. અહીં તેમણે સૌ પ્રથમ કિર્તી મંદિરની મુલાકાત લીઘી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. જે અંતર્ગત તે સૌથી પહેલા દિલ્હીથી પોરબંદર સવારે 10 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરત સિંહ સોલંકી, અર્જૂન મોઢવાડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધી કિર્તી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજલિ અર્પી હતી. અને તે પછી તેમણે શ્રીનાથજી હવેલીના દર્શન પણ કર્યા હતા. સાથે જ તેમણે અહીંના માછીમાર ઇન્ડસ્ટ્રીઝ લોકો જોડે પણ મુલાકાત કરી હતી.
જે પછી રાહુલ ગાંધીએ અહીં યોજવામાં આવેલ નવસર્જન સભામાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. રાહુલ ગાંધી તેમની આ બે દિવસની મુલાકાતમાં પોરબંદર, અમદાવાદ અને વડોદરા શહેરની મુલાકાત લઇને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.