14 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોનાના 1334 નવા કેસ નોંધાયા
14 સપ્ટેમ્બરે ગુજરાતમાં કોરોનાના 1334 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ આજે કોરોના વાયરસના 1334 નવા દર્દી સામે આવ્યા. જેમાં સૌથી વદુ સુરતથી 176 કેસ સામે આવ્યા છે જે બાદ અમદાવાદથી 149 અને જામનગરથી 101 કેસ સામે આવ્યા છે. સારી બાબત એ છે કે આજરોજ કુલ 1255 દર્દીઓ સાજા થઈ ગયા છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર
આરોગ્ય વિભાગે આપેલી જાણકારી મુજબ આજે રાજ્યમાં 71,507 ટેસ્ટ કરવામાં આવ્યા જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1100.10 ટેસ્ટ પ્રતિમિલિયન જેટલા થવા પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 33 લાખ 60 હજાર 318 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજરોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1334 કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ સાજા થયેલા દર્દીની સંખ્યા 95 હજાર 269 છે. ગુજરાતમાં રિકવરી રેટ પણ 82.84 ટકા છે.

7 લાખ વ્યક્તિઓ ક્વોરેન્ટાઈનમાં
જો ક્વોરેન્ટાઈન કરાયેલા વ્યક્તિઓ પર વાત કરીએ તો આજરોજ રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 7 લાખ 46 હજાર 934 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી 7 લાખ 47 હજાર 504 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 525 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. કુલ 16501 એક્ટિવ કેસમાંથી હાલ રાજ્યમાં કુલ 93 લોકો વેન્ટીલેટર પર છે અને 16408 લોકો સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 લોકોના મૃત્યુ થયાં છે.

કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
- સુરત કોર્પોરેશનઃ 176
- અમદાવાદ કોર્પોરેશનઃ 149
- સુરત 102
- જામનગર કોર્પોરેશનઃ 101
- રાજકોટ કોર્પોરેશન 98
- વડોદરા કોર્પોરેશનઃ 90
- રાજકોટઃ 53
- વડોદરાઃ 41
- પાટણઃ 35
- કચ્છઃ 30
- અમરેલીઃ 28
- બનાસકાંઠાઃ 28
- પંચમહાલઃ 28
- અમદાવાદઃ 26
- ભાગવનગર કોર્પોરેશનઃ 25
- મોરબીઃ 25
- ગાંધીનગરઃ 24
- દાહોદઃ 23
- જૂનાગઢઃ 21
- મહેસાણાઃ 20
- ભરૂચઃ 19
- જામનગરઃ 19
- સુરેન્દ્રનગરઃ 19
- જૂનાગઢ કોર્પોરેશનઃ 18
- તાપીઃ 18
- ગાંધીનગર કોર્પોરેશનઃ 15
- ગીર સોમનાથઃ 15
- નવસારીઃ 14
- સાબરકાંઠાઃ 11
- મહીસાગરઃ 10
- ભાવનગરઃ 8
- બોટાદઃ 8
- અરવલ્લીઃ 7
- ખેડાઃ 6
- નર્મદાઃ 6
- છોટા ઉદેપુરઃ 5
- દેવભૂમિ દ્વારકાઃ 5
- આણંદઃ 3
- પોરબંદરઃ 2
- વલસાડઃ 2
- ડાંગઃ 1












Click it and Unblock the Notifications
