Dantiwada Dam : દાંતીવાડા ડેમ 93 ટકા ભરાયો, 26 હજાર હેક્ટર વિસ્તારને ફાયદો થશે
Dantiwada Dam : બનાસકાંઠા જિલ્લા માટે એક સારા સમાચાર છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે દાંતીવાડા ડેમ તેની કુલ ક્ષમતાના 93% જેટલો ભરાઈ ગયો છે. આના કારણે આગામી સમયમાં ખેડૂતોને સિંચાઈનો ભરપૂર લાભ મળશે.
ઉપરવાસના વિસ્તારમાં પણ સારો વરસાદ પડ્યો હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 601.55 ફૂટ નોંધાયું છે, જ્યારે તેનું રૂલ લેવલ 602 ફૂટ છે.

ડેમમાં પાણીનો આટલો મોટો જથ્થો ઉપલબ્ધ થવાથી 26 હજાર હેક્ટરથી વધુ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. આ અંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પણ માહિતી આપી હતી.
આ સારા સમાચારથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ પાણી તેમના પાક માટે જીવનદાન સમાન સાબિત થશે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તપ ગુજરાતમાં 100 ટકા કરતા વધારે વરસાદ જોવા મળ્યો છે. આ જ કારણ છે કે ગુજરાતના મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ











Click it and Unblock the Notifications
