For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો, 4.1 ની તિવ્રતા નોંધાઈ!

ગુજરાતમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે ત્યારે હવે ફરી એક વખત રાજ્યની ધરતી ભુકંપથી ધ્રુજી છે. ગુજરાતમાં ફરીથી હવે ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જામનગર બાદ હવે કચ્છમાં પણ ધરતીકંપના આંકચો અનુભવાયો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે ત્યારે હવે ફરી એક વખત રાજ્યની ધરતી ભુકંપથી ધ્રુજી છે. ગુજરાતમાં ફરીથી હવે ભુકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જામનગર બાદ હવે કચ્છમાં પણ ધરતીકંપના આંકચો અનુભવાયો છે.

kuchchh

કચ્છ જિલ્લામાં સતત ધરતીકંપના આંચકા અનુભવાતા રહે છે. મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ધોળાવીરા આસપાસ આ આંચકા નોંધાયા છે. ધરતીકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 નોંધાઈ છે. ધરતીકંપના આ આચંકા 12 વાગીને 8 મિનીટે અનુભાવાયા છે. ધરતીકંપના આંચકા અનુભવાતા લોકો ઘરથી બહાર દોડી આવ્યા હતા.

આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ ધોરાવિરાથી 23 કિલોમીટરના અંતરે નોંધાયુ છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમા અવારનવાર ભુકંપના આંચકા અનુભવાતા રહે છે. આ અઠવાડિયામાં જ જામનગર જિલ્લામાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. તમને જણાવી દઈએ કે કચ્છ ધરતીકંપની ફોલ્ટ લાઈન પર આવેલુ છે. જેના કારણે સતત આંચકાઓ અનુભવાતા રહે છે. 2001 ના ધરતીકંપમાં કચ્છમાં મોટી તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. કચ્છ સહિત ગુજરાતમાં આવેલા ભયાનક ધરતીકંપમાં હજારો લોકો મોતને ભેટ્યા હતા. 26 જાન્યુઆરીના દિવસે બજારો બાળકોના પણ મોત થયા હતા.

English summary
Earthquake jolts Dholavira in Kutch, magnitude 4.1 recorded!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X