ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલમાં 70 અને કપાસિયા તેલમાં 110 રૂપિયાનો ભાવ વધારો
ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
અમદાવાદઃ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરીથી ખાદ્યતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ભાવ વધારા સાથે સિંગતેલ અને કપાસિયા તેલ 2500 રૂપિયાને પાર પહોંચી ગયુ છે જેના કારણે ગૃહિણીઓની બજેટ ખોરવાયુ છે. બે દિવસ પહેલા જ સિંગતેલ અને કપાસિયાના તેલ ઉપર 40થી 50 રૂપિયાનો વધારો થયો હતો ત્યારબાદ ફરીથી વધારો કરવામાં આવ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધ, સટ્ટાખોરી, નફાખોરીના કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2500ને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે સિંગતેલના એક ડબ્બાનો ભાવ 2450 રૂપિયા હતો જેમાં આજે એક ઝાટકે 70 રૂપિયાનો વધારો થયો છે એટલે ડબ્બાનો ભાવ 2520 થઈ ગયો છે. એ જ રીતે કપાસિયા તેલનો ભાવ 2440 હતો જે આજે 2550 થઈ ગયો છે.
સિંગતેલ કરતા કપાસિયા તેલનો ભાવ વધુ વધ્યો છે. સિંગતેલના ભાવ વધતા લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળ્યા છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો થય છે. ઉલ્લેખનીય છે કે એક તરફ બારમાસીની સિઝન શરુ થઈ ગઈ છે અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યા છે ત્યારે ખાદ્યતેલનો ભાવવધારો થતા લોકોના બજેટ પર અસર થઈ રહી છે.
કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન આર્થિક માર સહન કર્યા પછી હવે જનતાએ મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવમાં વધારા પછી હવે ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલમાં હજુ પણ ભાવ વધારાની શક્યતા છે. બીજી તરફ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
