નારાણ રાઠવાના લગ્નેત્તર સંબંધોનો પર્દાફાશ, બે સંતાનોની માતાએ ભરણ પોષણ દાવો માંડ્યો
અમદાવાદ, 12 જુલાઇ : ગુજરાતમાં કોંગ્રેસની સ્થિત કફોડી છે ત્યારે તેની છબી વધારે કલંકિત બને તેવો ઘટસ્ફોટ થયો છે. કોંગ્રેસના નેતા અને રાજ્યકક્ષાના પૂર્વ રેલવે પ્રધાન નારાણ રાઠવા સામે અમેરેલીમાં રહેતી બે સંતાનોની માતાએ તેના બાળકો રાઠવાના હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ સાથે જ આ મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે દાવો માંડ્યો છે.
ગુજરાત હાઇકોર્ટમા કરવામાં આવેલી અરજીમાં મહિલાએ પોતાનું નામ રેખા વાઘેલા નોંધાવ્યું છે. અરજીમાં તેણે દાવો કર્યો છે કે વર્ષો સુધી તે અને નારણ રાઠવા પતિ-પત્નીની જેમ રહ્યા છે. બાદમાં તેમણે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી હવે બાળકો માટે ભરણ પોષણનો દાવો કર્યો.

રેખા વાઘેલાનો દાવો છે કે રાઠવાથી જ તેને બે બાળકો થયા છે, આ બાબતની સત્યતા ચકાસવા માટે તેણે કોર્ટ સમક્ષ બાળકોના ડીએનએ ટેસ્ટ કરવવાની અપીલ કરી છે. મહિલાનો દાવો છે કે પતિની બદલી કરાવવા માટે તે નારણ રાઠવાના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે સંબંધો વિકસ્યા હતા. આ સંબંધોથી તેમને બે બાળકો પણ થયા છે. થોડા સમય પહેલા જ રાઠવા દ્વારા કથિત મારઝૂડ કરી મહિલાને બહાર કાઢી મૂકવામાં આવી હતી.
હાઇકોર્ટે કેસની સુનાવણી કરતા નારણ રાઠવાને નોટિસ ફટકારી છે. કેસની વધુ સુનાવણી 12મીં ઓગસ્ટે કરવામાં આવશે. આ અગાઉ રેખા વાઘેલાએ અમરેલીની કોર્ટમાં નારણ રાઠવા ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જોકે નીચલી કોર્ટે તેઓ પત્ની તરીકેનો અધિકાર ન ધરાવતા હોવાનું કહી તેમની અરજી ફગાવી દીધી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
