દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવનાર તારક મેહતાનું નિધન
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ લેખક તારક મહેતાનું આજે નિધન થયું છે.
ગુજરાતના જાણીતા લેખક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ, લેખક તારક મહેતાનું અમદાવાદમાં આજે સવારે નિધન થયું છે. 88 વર્ષના તારક મહેતા લાંબા સમયથી બિમાર હતા. નોંધનીય છે કે તેમણે અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમતે અનેક દિગ્ગજોએ તેમની મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતી સાહિત્ય ના લોકપ્રિય હાસ્યલેખક અને પદ્મ શ્રી થી સમ્માનિત તારક મહેતના નિધન બાદ તેમના પરિવારે દેહદાનનો નિર્ણય લીધો છે. નાગર સમાજના તારક મહેતાનો જન્મ 26 ડિસેમ્બર, 1929ના રોજ થયો હતો. તારક મહેતા તેમની છટાદાર ગુજરાતી ભાષા અને હાસ્યલેખનની વિશિષ્ટ શૈલીને લીધે ખૂબ લોકપ્રિય હતા. તેઓ સામાજીક મુદ્દે હંમેશા અલગ દ્રષ્ટિકોણથી લખતા. તેમના અત્યાર સુધીમાં 80 પુસ્તકો પ્રકાશિત થયા છે. તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' ખૂબ પ્રખ્યાત થઇ હતી અને તેના વર્ષ 2008માં આસિત મોદીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ બનાવી, જે આજે પણ ખૂબ લોકપ્રિય છે.
Saddened by the death of Tarak Mehta - humorist & columnist. He always brought smile to our faces. My condolences to family members.
— Vijay Rupani (@vijayrupanibjp) March 1, 2017
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ અંગે અફસોસ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. તેમણે તારક મહેતાના પત્ની ઇન્દુ મહેતાને ફોન કરી સાંત્વના પણ આપી હતી.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
