વરસાદના કારણે ગુજરાતના ઘણા જીલ્લાઓમાં પુરની સ્થિતિ, 9 લોકોના મોત
બિપરજોય વાવાઝોડા બાદ ચોમાસુ શરૂ થઇ ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. અવિરત વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. જૂનાગઢ શહેરમાં વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા જોવા મળી રહ્યાં છે. દામોદર કુંડમાં પણ પાણીના સ્તરમાં ઘણો વધારો થયો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આલમ એ છે કે કેટલાક વિસ્તારોમાં 24 કલાકમાં 398 મીમી વરસાદ નોંધાયો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નગરો અને ગામડાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સામેલ કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારીમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
SEOC દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી પૂરા થયેલા 30 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં SEOC ખાતે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને તેમને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવા સહિત બચાવ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે અને રવિવારથી સ્થિતિ સામાન્ય થવા લાગશે. જો કે, વિભાગે રવિવાર સવાર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.
#WATCH | Gujarat: Vanthali Ozat Viar Dam in Junagarh overflows due to heavy rainfall in the region. pic.twitter.com/KftxEcM07R
— ANI (@ANI) July 1, 2023












Click it and Unblock the Notifications
